Abtak Media Google News

કાર્બોસેલ અને સિલીકા સ્ટોન ખનિજની બેરોકટો ચોરી અંગે કડક કાર્યવાહી કરવા માગ

સુપ્રસિધ્ધ સુર્ય મંદિર પાસે ખનિજ માફિયાઓ દ્વારા એક સાથે 50-50 જીલેટીનનો બ્લાસ્ટ કરી હીટાચીની મદદથી કરાતી ખનિજ ચોરી

ચોટીલા નજીક આવેલા થાન પાસેના જૂના સુરજ દેવળ મંદિર પાસે કાર્બોસેલ અને સિલીકા સ્ટોન કિંમતી ખનિજ પુષ્કળ પ્રમાણમાં હોવાથી ખનિજ માફિયા દ્વારા બેરોકટોક ખનિજ ચોરી થઇ રહી છે. ખનિજ માફિયા દ્વારા એક સાથે 50-50 જેટલા જીલેટીનના બ્લાસ્ટથી સુપ્રસિધ્ધ જુના સુરજ દેવળ મંદિરને નુકસાન થયુ હોવાની રાવ સાથે રજૂઆત કરવામાં આવી છે

સુરેન્દ્રનગર જીલ્લાનાં થાનગઢ પાસે નાં સોનગઢ પાસે આવેલા અને પુરાતત્વ વિભાગ રાજકોટ હેઠળ આરક્ષિત ક્ષેત્ર માં જુના સુરજ દેવળ મંદિર નો સમાવેશ કરવામાં આવેલ હોય તેની જવાબદારી પુરાતત્વ વિભાગ ની છે અને તેઓ નાં કબ્જે છે ત્યારે આ મંદિર ની આજુબાજુમાં મોટાપ્રમાણમાં ખનિજ મળી આવે છે તેમાં ફાયરકલે કાર્બોસેલ અને સિલીકા સ્ટોન પુષ્કળ પ્રમાણમાં ખનિજ મળે છે ત્યારે ખનિજ માફીયાઓ દ્વારા હાલ મંદિરની ચારેય દિશામાં મોટા પ્રમાણમાં બ્લાસ્ટ કરવામાં આવે તેનાં કારણે મંદિર ને મોટું નુક્સાન થયું છે.

અને કોલસા ની ખાણો ને ખોલવી મંદિર નાં નીચે નાં ભાગ ની જમીનમાંથી ખનિજ કોલસો હાલ કાઢવામાં આવી રહ્યો છે જે મંદિર ને નુકસાન કર્તા છે ઈતિહાસ ની દ્રષ્ટિ એ આ મંદિર જોઈએ અને એક નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં બે પૌરાણિક પંથકો આવેલા છે એક તો ઝાલાવાડ અને બીજો પાંચાળ પ્રદેશ પાંચાળ ભુમીનું મુખ્ય નગર એટલે થાનગઢનાં પૂર્વાતર ભાગમાં સૂર્યનારાયણનું મંદિર આવેલું છે જેને જુના સુરજ દેવળ તરીકે ઓળખવામાં આવે છે.

કાઠી ક્ષત્રિય સમાજ અલગ અલગ જુથો માં અલગ અલગ સમયે સૌરાષ્ટ્રમાં આવ્યો જેમાં થી એક ભાગ 13 મી સદીનાં પૂર્વાર્ધમાં કચ્છ અને સિંધ પ્રાંત થી સ્થળાંતર કરી ને પાંચાળ પ્રદેશમાં આવેલ આ જુથનાં વડા એ આ મંદિરનું નિર્માણ કરાવ્યું હોય કે જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું ઈતિહાસ વિદોએ નોંધ્યું છે પ્રાચીનતમ સૂર્ય પુજા નાં ઉપાસકોએ ધારણા પ્રમાણે આ મંદિર બહું સમય પહેલા બનાવેલ હશે અને એક યુધ્ધ સમયે કાઠી સમાજ ને સાક્ષાત સ્વરૂપ દર્શન સુર્યનારાયણ ભગવાને આપ્યા હતા. હથિયાર સાંગ આપેલ આટલો ભવ્ય ઐતિહાસીક વારસો ધરાવતી જગ્યા એટલે જુના સુરજ દેવળ મંદિર હાલ આ મંદિર આરક્ષિત હેઠળ પુરાતત્વ વિભાગ રાજકોટ હેઠળ છે તેને નુકસાન થાય ત્યારે ઈતિહાસપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

મંદિર આસપાસ થતી ખનિજ માફીયાઓ દ્વારા ખનિજ ચોરી બંધ કરવામાં સરકાર અને તંત્ર આગળ આવે અને આ ઐતિહાસિક ધરોહર ને જાળવણી કરવામાં આવે આ બાબતે જો કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ પૌરાણિક ઐતિહાસિક ધરોહર ને આપણે ગુમાવી દેતાં સમય નહીં લાગે.

સુપ્રસિધ્ધ મંદિરની ચારે દિશામાં 100 ફુટ થી 200 ફુટ સુધીનાં ઉંડાઈ ધરાવતી કોલસાની ખાણો ધમધમે છે સિલીકા સ્ટોન માટે હિટાચી મશીનો હણહણી રહ્યા છે અને એક સાથે 50 -50 વિસ્ફોટ કરી બ્લાસ્ટ કરવામાં આવે ત્યારે મંદિર ખળભળી ઊઠે છે અને જુનાં સંસ્મરણો સાથે પથ્થર માં થી પણ આશુ ટપકી પડ્યા છે અને ખાસ વાત એ રહી કે જે કાઠી સમાજ નાં પુર્વજો એ બંધાવેલ મંદિર ને નુકસાન પણ કાઠી સમાજ નાં અગ્રણી આગેવાનો દ્વારા જ ખનિજ માફીયાઓ સાથે મિલીભગતથી ચલાવી રહ્યા છે અને નુકસાન જુના સુરજ દેવળ મંદિર ને કરી રહ્યા છે તે ખુબ અંત્યંત ગંભીર બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.