Abtak Media Google News
  • લોધીકા : દશ માસ પૂર્વે પ્રેમલગ્ન કરેલા દંપતી વચ્ચેના ગૃહકલેશથી કંટાળી યુવકે ફિનાઈલ ગટગટાવ્યું  

થાનગઢમાં પિતાના પથરીના ઓપરેશન બાદ ખબર પૂછવા ગયેલી દીકરી-જમાઇ વચ્ચે નજીવા પ્રશ્ને રકઝક થતા પરિણીતાએ પિયરમાં જ એસિડ પી આપઘાત કરી લીધો હતો પરિણીતાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

પોલીસમાંથી વિગત મુજબ રાજકોટમાં ગાયત્રીનગર મેઇન રોડ ઉપર આવેલા હસનવાડીમાં રહેતી પાયલબેન વિશાલભાઈ દલવાણી નામની 25 વર્ષીય પરિણીતા થાનગઢમાં તેના પિયરમાં હતી ત્યારે એસિડ પી લીધું હતું પરણીતાને ઝેરી અસર થતા બેશુદ્ધ હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈએ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ બનાવ અંગે થાન પોલીસને જાણ થતા થાન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી પરિણીતાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો

પ્રાથમિક પૂછપરછમાં મૃતક પાયલબેન દલવાણીને સંતાનમાં એક પુત્ર છે અને થાનગઢ ખાતે રહેતા પિતાના પથરીના ઓપરેશન બાદ પતિ સાથે ખબર અંતર પૂછવા ગઈ હતી જ્યાં નજીવા પ્રશ્ને દંપતિ વચ્ચે ઝઘડો થતાં પાયલબેન દલવાણીએ એસિડ પી આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે થાન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે દસ દિવસ પૂર્વે તાલુકાના જખા પીર મંદિર પાછળ પાળ ગામમાં રહેતા જયદીપભાઇ ભનુભાઈ ટુડિયા નામના 26 વર્ષીય યુવકે ગૃહ કલેશથી કંટાળી ફીનાઇલ પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકે દસ માસ પૂર્વે ગોંડલની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ દંપતિ વચ્ચે ઘણા સમયથી અવારનવાર ઝઘડા વધ્યા હોવાથી બંને માનસિક તણાવ અનુભવતા હતા.ગત રોજ પત્ની ભગવતી જયદીપ ટુડીયાએ ગર્ભનો ત્રીજો માસ ચાલી રહ્યો હોવાથી તપાસ માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પતિ જયદીપભાઇ ટુડિયાને કહ્યું હતું, પરંતુ પતિની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેણે નજીકના સરકારી હોસ્પિટલમાં લઇ જવાનું કહ્યું. જે બાબતે બંને વચ્ચે રકઝક વધતા જયદીપભાઇ ટુડીયાએ આ પગલું ભર્યું છે. જયદીપભાઇ સુથારી કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.