બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી આવી રહી છે ત્યારે આજથી ગાંધી જયંતી સુધી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ કેમ્પેઈનને `સ્વચ્છતા જ સેવા’ તેવું નામ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીનું મિશન આ કેમ્પેઈનમાં લોકોને જોડીને તેને જન આંદોલન બનાવવાનું છે.જેમાં લોકોને સફાઈ અને શૌચાલયના નિર્માણ માટે શ્રમદાન આપવા માટે જોડવામાં આવશે. જેથી કરીને ગરીબો સુધી સ્વચ્છ ભારત મિશન પહોંચી શકે. આ કેમ્પેઈનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને કેદ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સહીતના નેતાઓ ભાગ લેશે.કાનપુરના ઈશ્વરીજંગ ગામમાં રાષ્ટ્રપતિ આ અભિયાનમાં ભાગ લેશે, યૂપીના સીએમ યોદી આદિત્યનાથ અને ઉમા ભારતી પણ આ અભિયાનમાં જોડાશે. આ સાથે જ દેશભરમાંથી પસંદ કરાયેલા 15 જેટલા પ્રવાસન સ્થળો પર પણ વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. મહત્વનું છે કે, બીજી ઓક્ટોબરના ગીંધી જયંતીના અવસર પર સ્વચ્છ ભારત દિવસ મનાવવામાં આવશે.
Trending
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?