વેરાવળનાં સુપાસી ખાતે રાજ્યમંત્રી જશાભાઇ બારડ અને સાંસદ રાજેશભાઇ ચુડાસમાનાં હસ્તે રબારી સમાજનાં લોકોને અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો અર્પણ કરાયા હતા. રબારી સમાજનાં પ્રમાણપત્રો વિતરણ સમારોહમાં મહાનુભાવોનાં હસ્તે વારસાગત પ્રમાણપત્રો અશોકભાઇ કરમટા, સોનલબેન ચોપડા, નિતેષભાઇ કટારીયાને અર્પણ કરાયા હતા.આ તકે મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે પારદર્શક વહિવટને અનુલક્ષીને ૧૯૯૪ ી ૧૮-૧-૨૦૧૭ સુધીની રબારી સમાજની માંગણીનું સરકારે સફળ નિરાકરણ કર્યું છે. અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો આવનારા દિવસોમાં રબારી સમાજ માટે ખુબ ઉપયોગી નિવડશે. આ પ્રમાણપત્રો ભવિષ્યમાં સમાજનાં દિકરા દિકરીઓને ભણતરમાં ખુબ જ ઉપયોગી નિવડશે.સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ કહ્યું હતું કે, આજે સરકાર આપણાં આંગણે આવી આપણને અનુ.જન જાતિનાં પ્રમાણપત્રો અનાયત કર્યા છે. સૈાનો સા – સૈાનો વિકાસ ને ગુજરાત સરકારે ખરા ર્અમાં ર્સાક કર્યું છે. જિલ્લા પંચાયતનાં સદસ્ય રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, વર્ષો જુનો અનુ.જન જાતિ પ્રમાણપત્રનો પ્રશ્ન આજે સરકારે ખુબ જ સરળતાી ઉકેલ્યો છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો