વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર નરેન્દ્ર મોદી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શને તા. ૮મી ને બુધવારે આવી રહ્યા છે. સોમનાથ મંદિરે તેઓ દર્શન-પૂજન બાદ સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં પણ હાજરી આપશે. ટ્રસ્ટના તેઓ સભ્ય પણ છે. ટ્રસ્ટના વડા કેશુભાઇ પટેલ ઉપરાંત અન્ય સભ્યો લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ વગેરે પણ મીટિંગમાં ભાગ લેવા સોમનાથ આવી રહ્યા છે. વડાપ્રધાન મોદીની સોમનાથની મુલાકાતના સંદર્ભે વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જો કે બુધવારે રાજ્યમાં વડાપ્રધાનનાં અન્ય રોકાણો પણ હોવાને કારણે તેઓ થોડો સમય જ સોમનાથમાં રોકાણ કરશે એવું સૂત્રો દ્વારા જાણવા મળે છે. વડાપ્રધાનનો સત્તાવાર કાર્યક્રમ વિધિવત ઘડાઇ રહ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પણ તે સંદર્ભે આયોજન કરાઇ રહ્યું છે. સોમનાથ મંદિરનો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના હેઠળ આગામી સમયમાં ૨૬૨ કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવનાર છે. સોમનાથ સાનિધ્યમાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે દરિયાઈ જીવસૃષ્ટિ એકવેરીયમ, ૧૦૦ કરોડના ખર્ચે પ્રસાદ ઘર બનનાર છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને અંગત મિત્રો સાથે મતભેદ નિવારવા પડે અને વાદ-વિવાદ થી દૂર રહેવું
- રાજ્ય પોલીસ બેડામાં બદલીનો ગંજીપો ચિપાયો : 12 આઈપીએસની બદલીના આદેશ છૂટ્યા
- લોંગ ટ્રેડિશન લુકમાં ડેઝી શાહનું ફોટોશૂટ
- તમન્ના ભાટિયાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલે મળ્યું સમન્સ
- ગુજરાતી ફિલ્મ ‘ઉડન છું’ દર્શકોને એન્ટરટેઇન કરવા આવી રહી છે સિનેમા ઘરોમાં
- પખવાડિયા પૂર્વે સંજય વાટિકા સોસાયટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : કુખ્યાત ભૂતિયા ગેંગનો સભ્ય ઝડપાયો
- ભાડેથી કાર મેળવી પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ : કુલ 47 વાહનો સાથે બેલડી ઝબ્બે
- ક્ષત્રિય આંદોલન સહિતના કારણોસર સંવેદનશીલ મતદાન મથકોની સંખ્યામાં 210નો વધારો