Abtak Media Google News

સ્નેહમિલન સાથે સંગીતસંધ્યા, વિવિધ ક્ષેત્રે આગવું યોગદાન આપનાર પ્રતિભાઓનું સન્માન તેમજ ભોજન સમારંભ યોજાશે: સાંસદ, કેબીનેટ મંત્રીઓ, ધારાસભ્યો, મેયર સહિત વિવિધ સંસ્થાના હોદ્દેદારો અધિકારીઓ કાર્યક્રમની શોભા વધારશે

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતીમાં સભ્ય પરિવારનું સ્નેહ મિલન, ભોજન સમારંભ અને વિવિધક્ષેત્રે આગવું યોગદાન આપનારાઓને સન્માન સમારંભ તા.૦૧-૩-૨૦૨૦,રવિવારના રોજ યોજાનાર છે.

Advertisement

વેપાર-ઉદ્યોગની વરિષ્ઠ અને ૬૫ વર્ષ જુની મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વિશાળ સભ્ય પરિવારનું સ્નેહ મિલન, સંગીત સંધ્યા ભોજન સમારંભ તથા વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી ઓના સન્માન સમારંભનું તા.૧-૩-૨૦૨૦, રવિવારના સાજના ૬.૦૦ વાગ્યે નિરાલી રીસોર્ટ, વી.વી.પી એન્જીનીયરીંગ કોલેજ સામે,કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં શોભામાં અભિવૃધ્ધી વધારવા મુખ્ય મહેમાન તરીકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા અતિથિવિશેષ તરીકે સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, કેબીનેટ મંત્રીઓ, ધારાસભ્યને, મ્યુ.ફા.બોર્ડના ચેરમેન તથા મેયર તેમજ વિવિધ સંસ્થાના હોદેદારો તેમજ અધિકારીઓ ઉપરસ્થિત રહેશે.

રાજકોટ ચેમ્બરના સભ્યોએ પોતાના પાસ મેળવવાના બાકી હોય તેઓએ તુરંત ચેમ્બરની ઓફિસેથી મેળવી લેવા, આ કાર્યક્રમનો લાભ લેવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીન દ્વારા સભ્યોને અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.