Abtak Media Google News

જુનાગઢ સમાચાર

જુનાગઢ ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિરે આજે વહેલી સવારે ગેવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પરિવાર સાથે ભાવ પૂર્વક પહોંચ્યા હતા અને માતાજીની પૂજા, અર્ચના અને આરતી કરી હતી. ગિરનારના ગઢ ગિરનાર ઉપર બિરાજતા માં અંબાના દર્શન કરવા પરિવાર સાથે આજે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પહોંચ્યા હતા અને માતાજીની સન્મુખ પૂજા, અર્ચના કરી હતી, બાદમાં મંદિરના મહંત તનસુખગીરી બાપુ વતી પૂજારીઓએ ગોવાના મુખ્યમંત્રીને માતાજીની ચુંદડી અર્પણ કરી અને આશીર્વાદ આપ્યા હતા.Screenshot 22

આ તકે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે તેમની ગિરનારની સફર અવિસ્મરણીય ગણાવી હતી અને માતાજીના દર્શન કર્યા બાદ ધન્યતા અનુભવી હતી.ગોવાના મુખ્યમંત્રીની ગિરનાર સફર અને માં અંબાના દર્શન વાળાએ જૂનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, નિલેશભાઈ ધુલેશિયા સહિતના સાથે રહ્યા હતા.

મિલન જોશી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.