Abtak Media Google News

બેંકના રિકવરી ઓફિસર કિરણ છનીયારા, કાર એસેસરીઝ અને ફાયનાન્સના ધંધાર્થી બીપીન ‚ઘાણી સહિત પાંચ વ્યાજના ધંધાર્થીઓના ત્રાસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ: પોલીસ સાથે સારા એવા સંબંધો ધરાવતા બીપીન ‚ઘાણી પાસે અડધો ડઝન હથિયાર પરવાના

રાજકોટમાં પોલીસ તંત્રના વ્યાજખોરો સામે લોક દરબાર સહિતની કાર્યવાહી પછી પણ શુક્રવારે શહેરના રૈયા રોડ પરના તિરૂપતિનગરના વણીક ફાયનાન્સરે વ્યાજમાં વીષચક્રથી થાકી જઇ મોત મીઠું કયું હતું જયારે મૃતકની ૧૦ પાના સ્યુસાઇડ નોટે મોતનું રહસ્ય ખૂલ્યુ છે. અને પોલીસ સાથે સારા સંપર્ક ધરાવતા બિપીન રૂઘાણી અને બેંકના રિકવરી ઓફિસર કિરણ છનીયારા સહિત પાંચ વ્યાજખોરો સામે મરવા મજબૂર કરવાનો મનિલેન્ડનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.  આપઘાતની ફરજ પાડવાના મનીલેન્ડ અંગેનો ગુનો નોંધાતા પાંચેય વ્યાજખોરો ભુગર્ભમાં ઉતરી ગયા છે.

Advertisement

આ અંગેની વિગત એવી છે કે રૈયા રોડ ઉપર તીરૂપતિ નગરમાં રહેતા સુધીરભાઇ દુર્લભજીભાઇ કોઠારી (ઉ.વ.૫૩)એ શુક્રવારે પોતાના ઘેર ઝેરી દવા પીને આત્મહત્યા વ્હોરી લીધી હતી. સુધીરભાઇએ આત્મહત્યા પૂર્વે ૧૦ પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી.

જેમાં સિતમ ગુજારનાર વ્યાજખોરોનો નામજોગ ઉલ્લેખ કર્યો હતો. જેમાં  બીપીન રૂઘાણી, કમલેશ જગદીશ લાલવાણી,  કીરણ બી. છનીયારા, મહેશ ચાવડા કે જે આરડીસી બેન્કનો રીક્વરી ઓફીસર છે તેઓની સામે મનીલેન્ડ એક્ટ અને આત્મહત્યાની ફરજ પાડવાનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.

મૃતક સુધીરભાઇના પત્ની હીનાબેન કોઠારીએ ફરીયાદ નોંધાવી છે. સુધીરભાઇએ અગાઉ પણ એક હોટલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સંબંધી અને મિત્રને જાણ થતા તેઓને ઉગારી લેવાયા હતા. છેલ્લા કેટલાક સમયી માથાભારે વ્યાજખોર શખ્સો પઠાણી ઉઘરાણી કરતા હોય અંતે કંટાળીને સુધીરભાઇએ આત્મઘાતી પગલું ભરી લીધુ હતું. પોલીસ દ્વારા સ્યુસાઈડ નોટના આધારે ૪ થી વધુ શખ્સોની પુછપરછ પણ હાથ ધરવામાં આવી છે અને ફાયનાન્સરને મરવા મજબુર કરનાર શખ્સોની ટુંક સમયમાં ધરપકડ તોળાઈ રહી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા સુધીરભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. મુંબઇમાં સાસરે રહેલી પુત્રી હાલ સગર્ભા હોય સુધીરભાઇના પત્ની છેલ્લા કેટલાક દિવસોથી મુંબઇ ગયા હોય પાછળથી ફાયનાન્સર સુધીરભાઇએ વ્યાજખોરોના ત્રાસના કારણે આત્મહત્યા વ્હોરી લીધી હતી. સુધીરભાઇ વ્યાજખોરો પાસેથી નાણા લઇ બીજાને ધીરધારનું કામકાજ કરતા હોય અને આ વ્યવસાયમાં કેટલાક શખ્સોએ નાણા પરત ન કરતા ફાયનાન્સર જબરી આર્થિક ભીંસમાં સપડાઈ ગયા હતા.

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે સુધીરભાઇ કોઠારી ઘણા સમયથી ડ્રીપેશનમાં હતા. અગાઉ સુધીરભાઇ વિરૂધ્ધ પોલીસ કમિશનર સમક્ષ અરજી પણ થઇ હોય તેમણે કંટાળીને ઝેર ગટગટાવી આપઘાત કરી લીધો હતો. સુધીરભાઇએ લખેલી સ્યુસાઈડ નોટમાં  આપેલા નામોના આધારે પોલીસ દ્વારા વ્યાજખોરો સામે ગુન્હો નોંધી તેમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

સુધીરભાઇ ઉપર કરોડોનું દેવું હતું તેની સામે તેને અનેક લોકો પાસેથી મોટી રકમ પણ લેવાની હતી. પરંતુ સમયસર નાણા ન મળતા અંતે ફાયનાન્સરે આપઘાતનો માર્ગ અપનાવવો પડ્યો હતો. સુધીરભાઇના પરિવારજનોની ફરીયાદના  આધારે પોલીસે વ્યાજખોરો સામે ગુન્હો નોંધી તેઓને સકંજામાં સપડાવવા તજવીજ હાથ ધરી છે.

ફાયનાન્સરને મરવા મજુબર કરનાર બીપીનની આકરી પૂછપરછ થાય તો મસમોટું કૌભાંડ ખુલવાની શકયતા. સુધીરભાઇ કોઠારી પાસે પઠાણી ઉઘરાણી કરી અસહ્ય શારીરીક-માનસીક ત્રાસ ગુજારનાર વ્યાજખોરો પૈકીના બીપીન રૂઘાણીની આગવી ઢબે પુછપરછ કરવામાં આવે તો મસમોટું  આર્થિક કૌભાંડ ખુલવાની શકયતા સેવાઈ રહી છે. સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બીપીન રૂઘાણી કેટલાક ઉચ્ચ અધિકારીઓના પૈસા પણ વ્યાજે ફેરવાતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નવનિયુક્ત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ફાયનાન્સરના આપઘાત પ્રકરણમાં ઉંડા ઉતરે તો કેટલાક પોલીસ અધિકારીઓના તપેલા ચડી જવાના પણ નિર્દેશો સાંપડી રહ્યા છે.

બિપિન રૂઘાણીના પરિવાર પાસે અડધો ડઝની વધુ પરવાના વાળા હયિારો બિપિનના પત્ની અને પુત્રો પણ હથીયારના પરવાના ધરાવે છે. થોડા સમય પૂર્વે બિપિનના ઘરમાં શંકાસ્પદ ચોરી થઇ ત્યારે રોકડ ઉપરાંત પરવાના વાળા હથીયારો ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. સુધીરભાઇ કોઠારીને ધમકી આપવામાં પરવાના વાળા હયિારોનો ઉપયોગ યો હતો કે કેમ તે તપાસનો વિષય છે. બિપિન, તેમના પત્ની અને પુત્રો રિવોલ્વર, પિસ્તલ અને બાર બોરની ગન ધરાવે છે. બિપીન ‚ઘાણી શહેરના કેટલાક નિવૃત અને હાલ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની મોટી રકમ વ્યાજે ફેરવતો હોવાનું અને પોલીસના નામે ધાક-ધમકી દઈ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.