Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન ચાલી રહેલ છે. તેમજ લોકોમાં સ્વચ્છતા પ્રત્યે વધુને વધુ જાગૃતતા આવે તે સંદર્ભ જેના અનુસંધાને આજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલીત શ્રોફ રોડ પર આવેલ દતોપંત ઠેંગડી લાઇબ્રેરી ખાતે કચરો રસ્તા પર ફેંકવામાં ન આવે એ માટે લોકોની જાગૃતતા માટે પોકેટ કચરાની બેગ વિનામુલ્યે આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમ પૂર્વ ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ અને બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયાના વરદ હસ્તે શુભારંભ કરાયેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા દતોપંત ઠેંગડી પુસ્તકાલયના લાઈબ્રેરીયન એન. એમ. આરદેસણા તથા તેના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.