Abtak Media Google News

ભારતની દાનપેટીઓ હંમેશા ભરેલી રહેતી હોય છે લોકો શ્રધ્ધા સાથે ચડાવો અપર્ણ કરતા હોય છે ત્યારે કર્ણાટકના હાસનામ્બા મંદિરની દાનપેટીમાંથી એક પ્રેમ પત્ર મળી આવ્યો હતો. જે પત્ર એક પ્રેમીએ દેવીમાંને સંબોધી લખ્યો હતો. જેમાં તેણે લખ્યુ હતુ કે તે પોતાની પ્રેમીકાને મેળવવા ઇચ્છે છે આ પત્ર મળી આવતાની સાથે જ વાઇરલ થઇ ગયો હતો. કર્ણાટકનું આ હાસમ્બા મંદિર વર્ષમાં માત્ર ૯ વખત ખુલે છે આ મંદિરની દાનપેટીમાંથી દાનમાં આવેલ રકમની જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે આ પત્ર મળી આવ્યો હતો.

આ પત્રની સાથે-સાથે કેટલીક ચીઠ્ઠીઓ પણ મળી આવી હતી.જેમાં ભક્તોએ આ હાસમ્બા પાસે પોતાની મનોચ્છા દર્શાવી હતી. યુવાનના આ પત્રના લખાણ પ્રમાણે તેણે લખ્યું હતું કે ‘હું દિલથી એક છોકરીને ચાહું છુ, પ્રેમ કરુ છુ. મે તેની સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ તેના માતા-પિતા આ વાત સ્કિારવા માંગતા નથી, માટે હે માતા ! મને શક્તિ આપો કે હુ તેનો સામનો કરી શકું ’ આ યુવકે આવી રીતે પોતાના દિલની વાત માતાને કરી આ પત્ર સોશિયલ મિડિયા પર વાયરલ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.