Abtak Media Google News

મંત્રીના પ્રવચન દરમિયાન માંગરોળના પૂર્વ ધારાસભ્ય ભગવાનજી કરગટીયા આરામ ફરમાવતા જોવા મળ્યા

કેશોદ તાલુકાનાં બાલાગામ ગામે સુજલામ સુફલામ જળ સંચય યોજનાની રાજયના કેબીનેટ મંત્રી આરસી ફળદુની ઉપસ્થિતિમાં પૂર્ણાંહુતિ કાર્યક્રમ યોજાયો હતો.હાલમાં સરકારની સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ચાલી રહ્યું હતુ જેનો જિલ્લા કક્ષાનો પૂર્ણાહુતિ કાર્યક્રમ કેશોદ તાલુકાના બાલાગામ ગામે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી તેમજ આગેવાનો દ્વારા જળ અભિયાન પ્રદર્શન નિહાળ્યું હતુ ત્યાર બાદ બાળાઓ દ્વારા આમંત્રીત મહેમાનો આગેવાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

કેબીનેટ મંત્રી આરસી ફળદુએ જળ કળશનું પૂજન કર્યા બાદ દિપ પ્રાગટય કરવામાં આવેલ આગેવાનો દ્વારા કેબીનેટ મંત્રીનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ અને દાતાને સન્માન પત્ર આપી સન્માનીત કર્યા હતા. કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. સરકારના કાર્યક્રમમાં અમુક રાજકીય આગેવાનો હોદેદારો જાણે મજબુરીથી આવતા હોય તેમ કેબીનેટ મંત્રી આરસી ફળદુના પ્રવચન દરમ્યાન કેશોદ નગરપાલીકા પ્રમુખ લાભુબેન પીપલીયા તથા માંગરોળ પૂર્વ ધારાસભ્ય ભગવાનજી કરગટીયા આરામ ફરમાવતા જોવા મળી રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.