Abtak Media Google News

૬૦ લાખ ટનના લક્ષ્યાંક સામે ૯૫% લક્ષ્યાંક પૂર્ણ કરી ૫૭ લાખ ટન ખાંડની નિકાસના કરાર કરી લેવાયાં

કેન્દ્ર સરકારે ખાંડની નિકાસ માટે આપવામાં આવતી સબસિડીની રકમ એક તૃતીયાંશ સુધી ઘટાડી દીધી છે. જે સબસિડીની રકમ અગાઉ રૂપિયા ૬૦૦૦/ટન હતી તેને ઘટાડીને રૂ .૪૦૦૦/ ટન કરી દેવામાં આવી છે. જે રીતે નિકાસકારોએ કુલ નિકાસ લક્ષ્યાંકના ૯૫%નો લક્ષ્ય પૂર્ણ કરીને ૫૭ લાખ ટન ખાંડની નિકાસ કરી દીધી છે ત્યારે હવે નિકાસની જરૂરિયાત નહિ હોવાથી સબસીડી ઘટાડી દેવામાં આવી છે. નિકાસનો લક્ષ્યાંક પૂર્ણ થવાના આરે હોવાથી આ નિર્ણયથી દેશની ખાંડની નિકાસ પર કોઈ મોટી વિપરીત અસર નહીં પડે તેવું મનાઇ રહ્યું છે. નિકાસમાંથી સારો પ્રતિસાદ મળવાને કારણે ઓપન જનરલ લાઇસન્સ (ઓજીએલ) કેટેગરી હેઠળ નિકાસ ચાલુ રાખવા અંગે ઉદ્યોગને જણાવવામાં આવ્યું છે.

ભારતની કેન્દ્ર સરકારે ખાંડની નિકાસને સરળ બનાવવા માટે સુગર મિલોને માર્કેટિંગ સહાય પૂરી પાડવા માટે ૨૯ ડિસેમ્બર, ૨૦૨૦ ના રોજ એક યોજનાની જાહેરાત કરી હતી, જેથી તેઓ ખાંડની સીઝન ૨૦૨૦-૨૧માં ખેડૂતોના શેરડીના ભાવની ચૂકવણી કરી શકશે. ખાંડ મિલોને હેન્ડલિંગ, અપગ્રેડ અને અન્ય પ્રોસેસિંગ ખર્ચ અને આંતરરાષ્ટ્રીય અને આંતરિક પરિવહનના ખર્ચ અને ખાંડના નિકાસ ખર્ચ સહિતના માર્કેટિંગ ખર્ચ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી.

ઓલ ઇન્ડિયા સુગર ટ્રેડર્સ એસોસિએશન (એઆઈએસટીએ) ના અધ્યક્ષ પ્રફુલ વિઠ્ઠલાનીએ જણાવ્યું હતું કે, સબસીડીમાં ઘટાડાને કારણે ચાલુ વર્ષે ખાંડની નિકાસ પર કોઈ મોટી અસર થશે નહીં કારણ કે ૧૯ મેં સુધીમાં જ ૫૭ લાખ ટન ખાંડની નિકાસ માટેના કરારો અમલમાં મુકાઇ ચુક્યા છે. ઓજીએલની નિકાસ હવેથી શરૂ થશે. સ્થાનિક કિંમતો પર કોઈ અસર થશે નહીં કારણ કે અગાઉથી જ નિયંત્રણ રાખવામાં આવે છે. વેપારના અંદાજ મુજબ સરકાર ખાંડની નિકાસ સબસિડીના ૬૦ કરોડ રૂપિયાની બચત કરી શકશે.

દેશમાં સરપ્લસ શેરો ઘટાડવા ભારત આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય ખાંડની સારી માંગનો લાભ લઈ શક્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.