ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા દંપતીનું બાઈક વાંકાનેરના જડેશ્વર પાસે સ્લીપ થતા પતિનું મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે પત્નીને પણ ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના સજનપર ગામે રહેતા ગીરીશભાઈ મોહનભાઈ ફૂલતરીયા પોતાના મોટર સાઈકલજીજે ૩ પીપી ૫૬૯૬ ઉપર પોતાની પત્ની કૈલાશબહેન સાથે જતા હતા તે દરમિયાન વાંકાનેરના જડેશ્વર રોડ પર આવેલ વડસર તળાવ નજીક બાઈક સ્લીપ થઇ જતા ગીરીશભાઈને ગંભીર ઈજાઓ પહોચી હતી તો પત્નીને પણ ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગીરીશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા