Abtak Media Google News

ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા દંપતીનું બાઈક વાંકાનેરના જડેશ્વર પાસે સ્લીપ થતા પતિનું મૃત્યુ નીપજ્યું હતુ. જ્યારે પત્નીને પણ ઈજાઓ પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના સજનપર ગામે રહેતા ગીરીશભાઈ મોહનભાઈ ફૂલતરીયા  પોતાના મોટર સાઈકલજીજે ૩ પીપી ૫૬૯૬ ઉપર પોતાની પત્ની કૈલાશબહેન સાથે જતા હતા તે દરમિયાન વાંકાનેરના જડેશ્વર રોડ પર આવેલ વડસર તળાવ નજીક બાઈક સ્લીપ થઇ જતા ગીરીશભાઈને ગંભીર ઈજાઓ પહોચી હતી તો પત્નીને પણ ઈજાઓ થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ગીરીશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.