નાના બાળકોને ખાવાની અમુક ચીજો ન સદે એવું બની શકે છે. પણ જો ચોક્કસ પ્રકારની ખાદ્ય ચીજોથી તેમને એલર્જી થઇ જતી હોય તો એ જોખમી છે.કેમ કે એલર્જી ઇમ્યુન સિસ્ટમની ગરબડ દર્શાવે છે. અમેરિકાના રિસર્ચરોનું કહેવું છે કે જે બાળકોને ફૂડ પ્રોડકટસની એલર્જી હોય તો તેમને અસ્થમા થવાના ચાન્સીસ વધુ હોય છે.અસ્થમા પણ એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિસીઝ ગણાય છે. ફિલાડેલ્ફિયામાં આવેલી ચીલ્ડ્રન હોસ્પિટલના રિસર્ચરોએ નોંધ્યું હતું કે જે બાળકોને નાનપણમાં કયારેક ખાવાની ચીજોનું રિએકશન આવતું હોય તેમને ખરજવું, અસ્થમા તેમજ એલર્જીક રાનાઇટીસ એટલે કે નાનકી અંદરના ટિશ્યૂઝમાં વારંવાર ઇન્ફેકશન થવાના ચાન્સીસ વધી જાય છે. સિંગદાણા, દૂધ, ફિશ, ઇંડા, સોયાબીન, તલ જેવી ચીજોની એલર્જી બાળકોમાં સૌથી વધુુ જોવા મળે છે.
Trending
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી
- મોરબી: મહિલાઓને લાજ કાઢવાનું કહેતા મોટાબાપુ અને તેના પુત્રને ભાઈ તથા ભત્રીજાઓએ ઢીબી નાખ્યા
- સુરેન્દ્રનગર: છૂટાછેડા લઈ લીધા બાદ પુર્વ પતિએ મહિલાને માર્યા છરીના ઘા
- દ્વારકામાં ‘અબતક’ના પત્રકાર પર ત્રણ શખ્સોએે કર્યો હુમલો
- કોંગ્રેસને ફટકો: અશોક ડાંગરે કર્યા ફરી કેસરિયા