Abtak Media Google News

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દીમાં ફરી ઘટાડો થયો છે. આજે ૮ દર્દી દાખલ છે. જેમાંથી ૭ના રિપોર્ટ પોઝિટીવ છે અને ૧નો રિપોર્ટ આવવાનો બાકી છે.તબિબી અધિક્ષક ડો. મનિષ મહેતાએ જણાવ્યા મુજબ જે દર્દી દાખલ છે તેમાં રાજકોટ શહેરના એક, ગ્રામ્યના ચાર અને અમરેલી, જુનાગઢ તથા મોરબીના એક એક દર્દીનો સમાવેશ થાય છે. એક દર્દીને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે.ગઇકાલે બપોરે વાંકાનેરના સેરશીયાના એક પંચાવન વર્ષના પ્રોઢને સ્વાઇન ફલૂની શંકાએ દાખલ કરી રિપોર્ટ કરાવાયા હતાં. પરંતુ રિપોર્ટ આવે એ પહેલા જ તેમનું મોત નિપજ્યું હતું. ગત સાંજે જાહેર થયેલો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.