Abtak Media Google News

સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ અને ખોડલધામ ટ્રસ્ટના હોદેદારોનો સન્માન સમારંભ યોજાશે: આયોજકો ‘અબતક’ના આંગણે

સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ નોર્થ દ્વારા આગામી તા.૨૫ને રવિવારે સવારે ૭.૩૦ થી ૧૨.૩૦ દરમિયાન સરદાર પટેલ ભવન, ખીજડાવાઅળો રોડ, પાણીના ટાંકા સામે, માલવીયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી ખાતે ત્રીવેણી કાર્યક્રમ યોજાશે.

જેના અંતર્ગત સવારે ૭.૩૦ કલાકે સર્વરોગ નિદાન કેમ્પ ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પ, ખોડલધામ ટ્રસ્ટના હોદેદારોનું સન્માન, ઓમ શાંતિ સંસ્થા દ્વારા પ્રવચન તથા ભોજન સમારંભ સહિતના કાર્યક્રમો યોજાશે. કાર્યક્રમની વિગતો આપવા છગનભાઈ બાંભણીયા (પ્રમુખ), જયસુખભાઈ ડોબરીયા (સેક્રેટરી) તથા સલાહકાર સમિતિનાં જયેશભાઈ દુધાત્રા, વ્રજલાલ સખીયા, ચેતનભાઈ આસોદરીયા, સુરેશભાઈ સખીયા, જયંતીભાઈ કાનાણી, રાજેશભાઈ ભુત, ઉપપ્રમુખ હસમુખભાઈ અકબરી, ભીખાભાઈ પટેલ ખજાનચી નિલેશભાઈ વિરાણી, પ્લાનીંગ સેક્રેટરી દિનેશભાઈ વરસાણી, કાંતીભાઈ સાકરીયા, હરેશભાઈ બુસા, ભાવેશભાઈ સોજીત્રા, દિનેશભાઈ બુટાણી, નરેન્દ્રભાઈ ભાગીયા, જયંતિલાલ વેકરીયા, પરસોતમભાઈ કાકડીયા, બાબુભાઈ બગસરીયા, મુકુન્દભાઈ રાદડીયા, પરેશભાઈ તંતી અને યોગેશભાઈ સેખાડા સહિતના અબતકની વિશેષ મુલાકાતે આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.