Abtak Media Google News

ખંભાળીયા પૂર્વ ધારાસભ્ય તથા દેવભૂમિ દ્વારકાના ભાજપ અધ્યક્ષ શ્વેતાબેન શુકલની ખાસ ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત

ખંભાળીયા નગરપાલિકા દ્વારા વોર્ડ નં.૫માં આવેલ શરણેશ્વર મહાદેવ મંદિરથી વારાહી ચોક જોષીનો ડેલો, રાવલ ચોક કણઝાર માતાના મંદિર પાસેથી સતવારા વાડ સુધી પેવર બ્લોકના ખાતમુહૂર્ત ખંભાળીયાનાં પૂર્વ ધારાસભ્ય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અધ્યક્ષ કાળુભાઈ ચાવડા તથા ખંભાળીયા નગરપાલિકાના પ્રમુખ શ્વેતાબેન અમીતભાઈ શુકલનાં વરદ હસ્તે કરવામાં આવેલ હતું.

આ કામનાં ખાતમુહૂર્તમાં ખંભાળીયાનાં પૂર્વ ધારાસભ્ય તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના અધ્યક્ષ કાળુભાઈ ચાવડા તથા નગરપાલિકાના પ્રમુખ શ્વેતાબેન અમીતભાઈ શુકલ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી દિનેશભાઈ દતાણી, ચીફ ઓફિસર એ.કે.ગઢવી તેમજ શહેર ભાજપ પ્રમુખ મનુભાઈ મોટાણી, નગરપાલિકાનાં ઉપપ્રમુખ પી.એમ.ગઢવી તથા કારોબારી ચેરમેન દિપેશભાઈ ગોકાણી તેમજ વોર્ડ નં.૫નાં સદસ્યો જેમીનીબેન મોટાણી, જગદીશભાઈ ખેતીયા, પ્રતિભાબેન નકુમ તથા ભાજપના આગેવાન યોગેશભાઈ મોટાણી, અમિતભાઈ શુકલ, જીતેન્દ્રભાઈ નકુમ, નિકુંજભાઈ વ્યાસ, મેઘાબેન વ્યાસ તેમજ આ વિસ્તારનાં લતાવાસીઓ તેમજ કોન્ટ્રાકટર ચિરાગભાઈ પટેલ ઉપસ્થિત રહેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.