Abtak Media Google News

આજે શાળામાં ધો.5 થી 8ના મોટા છાત્રો પણ કડકડાટ વાંચી શકતા નથી. ઘણી હાઈસ્કુલમાં અભ્યાસ કરતા ધો.9ના છાત્રો સરખું વાંચી શકતા નથી. પ,ય,ટ,ડ,ઢ,ઠ, ધ,ઘ, જેવા અક્ષરને ઓળખી શકતા નથી. લેખનની વાત આવે ત્યારે આવા શબ્દોખોટા લખે છે આપણા ગુજરાતમાં સરકારી હોય કે ખાનગી શાળાના છાત્રોમાં વાંચન શુધ્ધીનો અભાવ જોવા મળે છે. અંગ્રેજી માધ્યમની શાળાના બાળકોને ગુજરાતી વાંચતા જ નથી આવડતું-ગુજરાતીમાં મોબાઈલ નંબર બોલો તો ના લખી શકે તેને તો આંકડા અંગ્રેજીમાંબોલવા પડે છે. આપણા ગુજરાતમાં રહેતા છાત્રોને ગુજરાતી બોલતા કે લખતા ન આવડે તે કેમ ચલાવી લેવાય.

બાળ સવાંગી વિકાસની બુનિયાદમાં વાંચન-ગણન અને લેખન જેવા ત્રણ સ્ટેપ પાયામાં સમાયેલા છે. આજ દિવસ સુધી આપણા છાત્રો એમાં જ કાચા હોવાથી તેમનો ઓવર ઓલ શિક્ષણ વિકાસ અટકી જાય છે. આજે તમે પણ જોયું હશે કે ધો. 6 થી 8 કે ધો.9-10નો છાત્ર બરોબર વાંચી નથી શકતો, જોડયા શબ્દો શુધ્ધ ઉચ્ચારણ સાથે બોલીશકતો નથી. નવી શિક્ષણ નિતિમાં પ્રથમ પાંચ વર્ષમાં આ ઉપર વિશેષ કામગીરી થયાબાદ બીજી સ્ટેપનાં 3 વર્ષનો અભ્યાસ ક્રમ આવે છે. એટલે શરૂના 10 વર્ષઆ બાબતે તેની વિશેષ દરકાર કરાશે.

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વાંચન-ગણન અને લેખન બાબતેનાં ઉપચારત્મક શિક્ષણ વર્ગો પણ કર્યા આ ત્રણેયમાં નબળા બાળકોને શાળા છૂટટા બાદ પણ ભણાવ્યા પણ રીઝલ્ટ મળેલ નથી. સરકારી શાળાઓમાં આ સમસ્યા વિશેષ જોવા મળે છે.સાદા શબ્દો કાનાવાળા શબ્દો જોડયા શબ્દો સાથે વાકયો-ફકરો , લખવાનો, બોલવાનો મહાવરો સતત છાત્રોને મળે તોજ બાળકો આ કૌશલ્ય હસ્તગત કરી શકે છે. ધો.1-2માં પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન અર્થાત પ્રજ્ઞા અભિગમમાં તેની ક્ષમતાસિધ્ધ થયા બાદ જ આગળનાં સ્ટેપે જવા દેવામાં આવે છે. બે વર્ષની આ પ્રક્રિયાબાદ ધો.3-4 સતત આજ દ્રષ્ટિકરણને કારણે તેનો વિકાસ કરાય છે.

પાયાના શિક્ષણ કે પ્રાથમિક શિક્ષણમાં જો બાળકને વાંચતા લખતા જ આવડે તો તમો તેને પ્રશ્ર્નોના જવાબ લખતા કેમ કરી શકો આ સમસ્યા શિક્ષણને સતત મુંઝવે છે.ભાષા સાથે ગણિતની અગત્યતા છે.પ્રારંભે સંખ્યાજ્ઞાન મેળવ્યાબાદ સરવાળા-બાદબાકી-ગુણાકાર અને ભાગાકાર શીખવી શકો છો 1 થી 100 જ ન ઓળખનારો બાળક ગણન પ્રક્રિયા કેમ કરી શકે. અંકતોરણ પ્લેકાર્ડ જેવા ઘણાં શૈક્ષણીક રમકડાના માધ્યમથી તમો બાળકોને ઝડપથી શિખવી શકો છો. હરતા ફરતા પણ બાળક ગણિત શીખી શકે છે.

જી.સી.ઈ.આર. દ્વારા વાંચન ગણન, લેખનનાં માપદંડ નકકી કરાયા છે. જેમાં મોટા ફકરાનું વાંચન, આરોહ અવરોહ સાથેનું વાંચન, અર્થગ્રહણ ફકરાનું વાંચન, જોડાક્ષરવાળા ફકરાનું શ્રેતલેખન સાથે ફકરામાં વિરામ ચિન્હોનો ઉપયોગ સાથે સરવાળા-ભાગાકાર-બાદબાકી-ગુણાકાર જેવા વ્યવહારિક દાખલા માંડ કુલ 25 ટકા બાળકો કરી શકે છે. તેવું જોવા મળે છે. વાંચન લેખનમાં તો આનાથી પણ ઓછુ ટકાવારીનું પ્રમાણ જોવા મળ્યું છે. શિક્ષણ એ આજીવન ચાલતીપ્રક્રિયા છે. શિક્ષણ દ્વારા વાંચન ગણન, લેખન શીખવી તેનામાં વિવિધ મૂલ્યો વિકસાવી જીવન જીવવાની કળાના આવશ્યક કૌશલ્યો કેળવીને સમાજનો ઉતમ નાગરીક બનાવવાનો છે.

ધો.3 થી8ના તમામ વિદ્યાર્થીઓને ભાષા-ગણિત જેવા વિષયોમાં નિપુણ બનાવવાનો છે. વિદ્યાર્થીઓમાં વાંચન-ગણન અને લેખનની ત્રણેય બાબતમાં કચાશ દૂર થાય તેવું વાર્ષિક આયોજન વર્ગશિક્ષકે કરાવું જ પડશે. ભાષા સજજતા અને ગાણિતીક કૌશલ્યોના માપન માટે યોગ્ય મૂલ્યાંકન અને તેનું મોનીટરીંગ પણ હોવું જરૂરી છે. બાળક ફકરો વાંચીને તેનો ટુકસાર ‘સાર લેખન’માં પોતે જાતે ભૂલ વગર લખી શકે એટલો પાવર ફૂલ હોવો જોઈઐ. નિયમિત લેખન કૌશલ્યના વિકાસ માટે ગુજરાતી-હિન્દી-અંગ્રેજી આ ત્રણેય ભાષાની 10 લીટી સતત લખવી જરૂરી છે.

બાળક સાંભળીને લખે, જોઈને લખે કે લખતો જાયને બોલતો જાય તે ખૂબજ જરૂરી છે. મૌખિક અભિવ્યંકિત ખીલવવા દરરોજ તેણે કરેલા કામો વિશે બોલવાનું કે તહેવારો કે રજાના દિવસે કયાં ફરવા ગયા હતા તેની વાત કહેવા પ્રોત્સાહિત કરો તો જ તેની કલ્પના શકિત શબ્દ ભંડોળ જેવી ઘણી બાબતોની ખીલવણી થઈશકે છે. બુનિયાદી શિક્ષણનો પાયો એટલે જ વાંચન ગણન, લેખન, વાંચન પહેલા બાળક શ્રવણ અને કથન દ્વારા ભાષા પહેલા શિખે છે. સાંભળેલું અને બોલેલુ ધ્વનિઓનું લેખિત સંકેતો સાથેનું જોડાણ છે.

આજે શાળા મહાશાળાઓમાં શિખવાતા વિષયો છાપેલા પુસ્તકોનાં સ્વરૂપે જ હોય છે. અને વર્ગખંડમાં આ પુસ્તકો જ કેન્દ્ર સ્થાને હોય છે.એટલે વિદ્યાર્થીની વાંચન ક્ષમતા સારી હશે તો જ તે સારૂ વાંચી શકશે અન્યથા નબળુ વાંચન તેને બધે જ બાધા રૂપ બનશે વર્ગખંડમાં શિક્ષકે દરેક બાળકને નિયમિત વાંચન કરાવવું અતિ આવશ્યક છે. આજની શાળાનું વાંચન શિક્ષણ ચિત્ર ઘણુ જ નબળું છે. આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના સમયમાં શાળા-મહાશાળાઓ વિદ્યાર્થીઓને જ્ઞાન આપવા માટે અનેક સાધનો દ્વારા પ્રયાસો કરી રહ્યા છે. આ કારણે વાંચન કૌશલ્યનું મંહત્વ ઓછું આંકી ન શકાય કે તેની ઉપેક્ષા કરી શકાય નહી.

શાળા અનેક વિષયોનાં અભ્યાસ થકી વિદ્યાર્થીઓમાં જ્ઞાનનું સિંચન કરે છે,જેમકે ઈતિહાસનાં શિક્ષણ દ્વારા માનવીનાં ભૂતકાળને સમજી તેનુંમૂલ્યાંકન કરે તોનાગરીક ભૂગોળ દ્વારા સારી રીત ભાતા રહેણીકરણી અને મનુષ્યના જીવનનો સાચા અર્થમાં પરિચય પ્રાપ્ત કરે છે.ગણિત દ્વારા કેટલીક બૌધ્ધિક શકિતઓનો અને ચોકસાઈ જેવા ગુણો વિકસે છે. વિજ્ઞાન દ્વારા કુદરતની ગર્ભિત બાબતો સમજવાનો પ્રયાસ કરે છે. જયારે ભાષા દ્વારા તે વિચારોનાં વિનીમય માટે જરૂરી કૌશલ્યો કેળવે છે.વિવિધ વિષયો દ્વારા જ્ઞાન મેળવે છે. પણ આ બધા વિષયો દ્વારા જ્ઞાન મેળવવાનું અસરકારક અને સક્ષમ કોઈ સાધન હોય તો તે છે ‘વાંચન’.

શરૂઆતમાં વિદ્યાર્થીને ગુણવતા યુકત વાંચન પ્રક્રિયાનું અધ્યયન કરાવવું જરૂરી છે. આ મહાવરો સતત મળવાથી જ કે વાંચન ને આધારે જ તે બીજા વિષયોનું જ્ઞાન મેળવવા સમર્થ બને છે. અધ્યયન પ્રક્રિયામાં વાંચન એક અગત્યનું પરિબળ છે. વાંચન આવડત થકી વિદ્યાર્થી સ્વ બળે, સ્વગતિએ,સ્વ અધ્યયન થકી જ આગળ વધી શકે છે. વાંચન એ જ્ઞાન ભંડારના દ્વાર ખોલવાની ચાવી છે. વાંચન આવી એકવાર હસ્તગત થઈ ગઈ પછી કોઈ પણ ક્ષેત્ર કે વિષયના જ્ઞાનભંડાર ખોલવામાં સહાય ભૂત બની રહે છે. આના થકી જ વિદ્યાર્થી કોઈપણ વિષયોનાં અધ્યયનને અર્થપૂર્ણ બનાવી શકે છે.

‘ભાષાનું મૂખ્યકાર્ય વિચારોના આદાન-પ્રદાનનું છે.જેના દ્વા જ મનુષ્ય જીવન વ્યવહાર ચલાવે છે’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.