Abtak Media Google News
  • ધોરણ-10 અને 12ની પરીક્ષાને લઈ પ્રશ્ર્નપત્રને લઈને ખોટી અફવાઓ અને બનાવટી માહિતી સામે સતર્ક રહેવા તાકીદ કરાઈ
  • સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવામાં સામેલ તત્ત્વો સામે કડક પગલાં ભરવા માટે એજન્સીઓની મદદથી પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવશે

શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી શરૂ થનારી ધોરણ-10 અને 12ની પરીક્ષાને લઈ પ્રશ્નપત્રને લઈને ખોટી અફવાઓ અને બનાવટી માહિતી સામે સતર્ક રહેવા તાકીદ કરાઈ છે. બોર્ડ દ્વારા અફવાઓ ફેલાવનારા સામે પગલાં લેવાની કાર્યવાહી કરાશે. ઉપરાંત સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવામાં સામેલ તત્ત્વો સામે કડક પગલાં ભરવા માટે એજન્સીઓની મદદથી પરિસ્થિતિ પર દેખરેખ રાખવામાં આવશે. આમ, છતાં જો કોઈ વિદ્યાર્થી કે વાલી પાસે વાંધાજનક સમાચાર કે માહિતી આવે તો બોર્ડને અથવા તો જિલ્લા કક્ષાએ ક્ધટ્રોલરૂમમાં જાણ કરવા માટે જણાવાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચથી ધો-10 અને ધો-12ની પરીક્ષા લેવામાં આવનાર હોય તેને લઈને જાહેર નિવેદન દ્વારા અફવાઓ અને બનાવટી માહિતી સામે તકેદારી રાખવા માટે સૂચના અપાઈ છે. શિક્ષણ બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાનાર છે. બોર્ડ દ્વારા પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં અને ગેરરીતિ વિહીન યોજાય તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.

પરીક્ષાના સમય દરમિયાન અનૈતિક તત્ત્વો દ્વારા યૂટ્યુબ, ફેસબૂક, વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્ર લીક થવા અંગે અફવા ફેલાવી અને પરીક્ષાનું પ્રશ્નપત્ર સાચું હોવાનો ખોટો દાવો કરતા હોય છે. આવા તત્ત્વો પ્રશ્નપત્રોની નકલી લિંક ફેલાવે છે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને આવા નમૂનાના પ્રશ્નપત્રમાંથી બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્રમાં પ્રશ્નો હશે તેવી ખોટી માહિતી પણ રજૂ કરે તેવી શક્યતા રહે છે. જેથી આવી બાબતોથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ સાવધાની રાખવા બોર્ડ દ્વારા તાકીદ કરાઈ છે. આવા તત્ત્વો બોર્ડની જાહેર પરીક્ષાના પ્રશ્નપત્રો હોવાનો દાવો કરીને લોકો પાસેથી નાણાકીય લાભ મેળવવાની કોશિશ કરતા હોય છે. આવા વ્યક્તિ/વ્યક્તિઓ/જૂથો/એજન્સીઓ ભોળા વિદ્યાર્થીઓ અને વાલીઓને છેતરીને નાણાંની માગણી પણ કરી શકે છે, જેથી આવી બેજવાબદારી પૂર્વકની પ્રવૃત્તિઓથી વિદ્યાર્થી અને વાલી સમાજમાં મૂંઝવણ, ચિંતા અને ગભરામણ પેદા થઇ શકે છે. બોર્ડ દ્વારા આવા નકલી સમાચાર અને અફવાઓ ફેલાવનારાઓને પોલીસની મદદથી ઓળખીને તેમની સામે પગલાં લેવામાં આવશે. બોર્ડ ઈંઙઈ અને ઈંઝ અઈઝની વિવિધ જોગવાઇઓ હેઠળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન્યૂઝ ફેલાવવામાં સામેલ વ્યક્તિઓ સામે કડક પગલાં લેવા માટે કાયદાનું અમલીકરણ કરનારી એજન્સીઓની મદદથી પરિસ્થિતિ પર દેખરેખ રાખે છે.

બોર્ડ દ્વારા વાલીઓને વિનંતી કરવામાં આવી છે કે, પરીક્ષા માટે આવી અફવાઓ પર વિશ્વાસ ન કરે અને આવા નકલી સમાચારો ફેલાવવામાં સામેલ થાય નહીં તેમજ બોર્ડની જાહેર પરીક્ષા દરમ્યાન બોર્ડે નિયત કરેલ પરીક્ષા સંબંધી નિયમોનું પાલન કરે અને કોઇપણ જાતની ગેરરીતિથી અને ખોટી અફવાઓથી ગેરમાર્ગે દોરાય નહિ. બોર્ડની જાહેર પરીક્ષાઓ દરમ્યાન આવા અનઅધિકૃત સમાચારો અને અફવાઓથી જાહેર જનતા સજાગ રહે અને પરીક્ષાની પવિત્રતા જળવાય તે માટે કોઇપણ પ્રકારના સંદેશા વ્યવહાર દ્વારા આવી માહિતી ન ફેલાવવા તાકીદ કરવામાં આવે છે. બોર્ડની જાહેર પરીક્ષાઓ સંબંધિત કોઇપણ પ્રકારના વાંધાજનક સમાચારો સોશિયલ મીડિયા કે અન્ય કોઇપણ માધ્યમથી મળે તો બોર્ડના ઈ-મેઈલ આઈડી અથવા તો કેન્ટ્રોલ રૂમમાં જાણ કરવા અથવા તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ક્ધટ્રોલરૂમમાં જાણ કરવા તાકીદ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.