Abtak Media Google News
  • સોખડા ગામે માસુમ બાળકી પર સિમેન્ટના ઢાંકણાની ફ્રેમ પડતા સર્જાઈ કરુણાંતિકા 
  • ખારચીયા ગામમાં આધેડે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત: ગોંડલ રોડ પર ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવકનું મોત

શહેરમાં છેલ્લા 24 કલાકમાં અપમૃત્યુના ત્રણ બનાવ સામે આવ્યા છે. જેમાં સોખડા ગામે રમતી માસુમ બાળકી પર સિમેન્ટના ઢાંકણાની ફ્રેમ પડતા કરુણાંતિકા સર્જાઈ હતી.જ્યારે ખારચિયા ગામમાં આધેડે ગળાફાંસો ખાય આપઘાત કર્યો હતો અને ગોંડલ રોડ પર ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવકનું મોત થયું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાય છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સોખડા ગામે ધમલપટ રોડ પર આવેલા બાલાજી પ્રી કાસ્ટ કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરી પેટીયુ રડતા દિલીપભાઈ ભુરીયાની પાંચ વર્ષની માસુમ બાળકી દિવ્યા ત્યાં રમતી હતી. ત્યારે કારખાનામાં રહેલું સિમેન્ટના ઢાંકણાની ફ્રેમ તેની માથે પડતા તેને ગંભીર ઈજા થઈ હતી. જેથી માસુમ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ છે.

તો જ્યારે અન્ય બનાવમાં ખારચિયા ગામ ભંગડા વાસમાં રહેતા સુરેશભાઈ લાલજીભાઈ ભુવા નામના 45 વર્ષીય આધેડે પોતાની વાડીએ ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે આજીડેમ પોલીસ મથકને જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક સુરેશભાઈ ભુવાનો ભાઈ જયંતિ સુરત થી રાજકોટ રોકાવા આવ્યો હતો. પરંતુ આધેડે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

તો ત્રીજા બનાવમાં ગોંડલ રોડ પર રિદ્ધિ સિદ્ધિ નાલા નીચે  ગઈકાલે મોડી રાત્રિના આશરે 32 વર્ષનો કોઈ અજાણ્યો પુરુષ ટ્રેનની ઠોકરે આવી જતા તેનું મોત નીપજ્યું હતું. આજીડેમ પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહ પીએમ અર્થે ખસેડી તેના વાલી વાયરસની શોધખોળ હાથ ધરી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.