Abtak Media Google News

તા. ૩.૧૨.૨૦૨૩ રવિવાર  ,સંવંત ૨૦૮૦, કારતક વદ છઠ, આશ્લેષા  નક્ષત્ર, ઐંદ્ર  યોગ, વિષ્ટિ  કરણ આજે રાત્રે ૯.૩૬ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) ત્યારબાદ સિંહ (મ,ટ)  રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : આંતરિક સૂઝમાં વૃદ્ધિ થાય ,સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,  તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક  રહે.

મિથુન (ક,છ,ઘ) :  તમારી પ્રતિભા દર્શાવી શકો, નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.

કર્ક (ડ,હ)  : બેન્કના કાર્ય નિપટાવી શકો, આર્થિક આયોજન કરી શકો,મનોમંથન  કરી શકો.

સિંહ (મ,ટ) :  તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, આંતરિક શક્તિ ખીલે,લોકો દ્વારા તમારી પ્રસંશા  થાય.

કન્યા (પ ,ઠ ,ણ) : લોન વિગેરે બાબતમાં સાંભળવું , ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.

તુલા (ર,ત) : જીવનમાં નવા નિયમ લાવી શકો, તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ  થાય.

વૃશ્ચિક (ન ,ય) :  વ્યક્તિની પરખ કરી શકો, કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ  દીવસ.

ધન (ધ,ભ,ફ,ઢ ): આધ્યાત્મિક ચિંતન થાય, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર  સાથે આનંદ માણી શકો .

મકર (ખ,જ) :  કોર્ટ કચેરી કે વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ રહે  .

કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો. વધુ ઉગ્રતાથી કામ ના લેવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ): આપણા ગણીને ચાલતા હોઈએ તે બધા આપણા નથી હોતા! , હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

આજરોજ રવિવાર ને સૂર્ય મહારાજ જ્યેષ્ઠા નક્ષત્ર માં પ્રવેશ કરી રહ્યા છે! જ્યેષ્ઠા નક્ષત્રના સ્વામી બુધ છે જયારે રાશિ સ્વામી મંગળ છે માટે આ નક્ષત્રમાં મંગળ અને બુધની છાંટ જોવા મળે છે અને સૂર્ય ત્યાંથી પસાર થાય ત્યારે કેટલાક આક્રમક નિર્ણય લેતા જોવા મળે છે જો કે જ્યેષ્ઠામાં સૂર્ય આવે ત્યારે સૂર્ય સાથે મંગળ અને બુધ હોય તેવું વાતાવરણ બને છે વળી જ્યેષ્ઠા માં જે ઘટના બને છે ને વ્યાપક અને લાંબી ચાલનાર બને છે! આ સમયમાં સત્તા ગઠજોડ પણ તેજ થતી જોવા મળશે સૂર્ય જ્યેષ્ઠમાં વાતાવરણમાં અચાનક ફેરફાર આપનાર છે!  ૫ ડિસેમ્બરને મંગળવારે ભૈરવાષ્ટમી, કાલાષ્ટમી,  કાલભૈરવ જયંતિ છે. કળિયુગમાં ભૈરવ સાધના ખુબ ફળદાયી નીવડે છે! ત્વરિત પરિણામ માટે ભૈરવ સાધના ઉપયોગ માં લેવાય છે! ખાસ કરીને કોઈ પણ પ્રકારના ભયથી મુક્ત થવા આ સાધના કામ લાગે છે વળી શત્રુનાશ પણ કરી શકે છે શિવના રુધિરમાં થી તેમની ઉત્પત્તિ ગણાય છે તો માં દુર્ગા ઉપાસનામાં પણ ભૈરવ પ્રમુખ ગણાય છે અને શિવના પ્રમુખ યોદ્ધા પણ ભૈરવ છે.ક્રૂર ગ્રહોને શાંત કરવામાં ભૈરવ સાધના મહત્વની બને છે  કાલભૈરવ જયંતિ પર જીવનના દુર્ગમ માર્ગો પર આપણે નીડર થઇ ચાલી શકીએ અને અન્યાયનો સામનો અડગ થઇ કરી શકીએ તેવી પ્રાર્થના કાલભૈરવને કરવી જોઈએ. તેમના અનેક રૂપ છે અને અનેક રૂપમાં તેઓ વિવિધ રીતે પૂજાય છે પરંતુ તે ભક્તોને ભરપૂર આત્મવિશ્વાસ આપનારા છે અને શિવ શક્તિની પ્રીતિ આપનારા છે!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.