Abtak Media Google News

તા. ૩૧.૩.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦ ફાગણ વદ  છઠ, જ્યેષ્ઠા  નક્ષત્ર, વ્યતિપાત યોગ, ગર   કરણ આજે રાત્રે ૧૦.૫૭ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  વૃશ્ચિક (ન ,ય) ત્યારબાદ ધન (ધ,ભ,ફ,ઢ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : ધાર્યા કામ પાર પાડી શકો, હકારાત્મક વિચારોથી લાભ થાય,દિવસ પ્રગતિકારક રહે.

વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,આગળ વધવાની તક મળે, દૈવી સહાય પ્રાપ્ત થાય ,શુભ દિન .

મિથુન (ક,છ,ઘ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મતભેદ નિવારી શકો,વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને.

કર્ક (ડ,હ) : નિયમિત જીવનપદ્ધતિ થી આગળ વધશો તો સફળતા મળશે, રોજનીશી લખવાની ટેવ કામ લાગશે, ભૂતકાળ પર થી શીખવું પડે.

સિંહ (મ,ટ) : વિદેશ જવા ઇચ્છતા કે ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પુરી પડતો દિવસ. સ્ત્રીવર્ગને પણ સારું રહે.

કન્યા (પ,ઠ,ણ) : પરિવાર સાથે આનંદ માણી શકો,દિવસ, નવી વ્યક્તિઓને ઉત્સાહપૂર્વક મળી શકો, દિવસ  લાભદાયક રહે.

તુલા (ર,ત) :  નવા કાર્યમાં ઈશ્વરી સહાય મળે,વિચારોમાં નવીનતા આવે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

વૃશ્ચિક (ન,ય) : તમારા શોખ માટે સમય ફાળવી શકો, મન થી હળવાશ અનુભવી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

ધન (ધ,ભ,ફ,ઢ): જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.

મકર (ખ,જ) : બીજાની ચિંતા ના કરતા સ્વયં પર ધ્યાન આપવું,  ખર્ચ પર અંકુશ રાખવો,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

કુંભ (ગ,સ,શ ) : મિત્રો સાથે આનંદ માણી શકો,ગમતી પ્રવૃત્તિ કરી શકો, અચાનક કોઈ તક ઉભી થહતી જણાય.

મીન (દ,ચ,ઝ,થ): વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ ,નોકરિયાતવર્ગ ને સારું રહે,ઈચ્છીત  પરિણામ પ્રાપ્ત કરી શકો.

—શનિ મંગળ યુતિ હથિયારોનો ઉપયોગ વધારી રહી છે

શનિ મંગળ યુતિની અસર તળે ૨૫ માર્ચના ગ્રહણ ટાંકણે જ મહાકાલ મંદિર ઉજ્જૈનમાં આરતી સમયે આગનો બનાવ બહુ સૂચક ગણી શકાય. વળી આગામી દિવસોમાં મંગળ અને શનિ અંશાત્મક રીતે નજીક આવી રહ્યા છે તો ૯ એપ્રિલથી શરુ થઇ રહેલી ચૈત્રી નવરાત્રીમાં આ વખતે માતાનું વાહન અશ્વ એટલેકે ઘોડો છે જે સૂચિત કરે છે કે આ સમયમાં બે દેશ વચ્ચે યુદ્ધ જેવો માહોલ સર્જાય હથિયારોનો વધુ ને વધુ ઉપયોગ થાય, કોઈ મોટી આતંકી ઘટનાની શક્યતા રહે અને હત્યા જેવા બનાવો ચકચાર જગાવે વળી આકાશમાં અગ્નિ વરસે અને કુદરતી આપદા સામે સજાગ રહેવું પડે. ખાસ આ સમયમાં વિવિધ એજન્સીઓએ સાબદા રહેવું પડે અને ધાર્મિક સ્થળો પર વિશેષ કાળજી લેવી પડે. ૫ એપ્રિલ થી ૧૫ એપ્રિલ નો સમય મંગળ શનિ ખુબ નજીક નજીક હશે માટે આ સમય ઘટનાક્રમ તેજ બનતો જોવા મળે અને આર્મી પણ આ સમયમાં હરકતમાં આવે અને આતંકીઓની કોઈ પણ ગુસ્તાખીનો મુંહતોડ જવાબ આપતા જોવા મળે, અન્ય દેશોમાં પણ આતંકી ગતિવિધિ વધુ તેજ થતી જોવા મળે ખાસ કરીને શુક્ર સાથે હોવાથી આતંકી ફંડિંગનો મુદ્દો પણ વિશેષ સામે આવે. વળી વિશ્વ સ્તરના હથિયાર અને યુદ્ધ સામગ્રીના વિવાદાસ્પદ ડીલિંગ સામે આવતા જોવા મળે. વ્યક્તિગત રીતે આ સમયમાં હનુમાનજીની આરાધના વિશેષ ફળદાયી નીવડે ખાસ કરી ને જે મિત્રો પનોતીમાં થી પસાર થઇ રહ્યા છે તેમણે હનુમાનજીની આરાધના કરવી જોઈએ અને શિસ્તબદ્ધ જીવન તરફ આગળ વધવું જોઈએ.

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી —  ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.