Abtak Media Google News

તા. ૨૦.૧.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦,  પોષ સુદ દશમ, કૃત્તિકા નક્ષત્ર, શુભ યોગ, તૈતિલ કરણ આજે સવારે ૮.૫૪ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  મેષ (અ,લ,ઈ)  ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ)  રહેશે.

મેષ (અ,લ,ઈ) : જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.

વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, તમારા પ્રતિભાવ અને કાર્યની સરાહના થાય.

મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે. અન્ય માટે વિશેષ દોડધામ રહે, મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,કેટલીક બાબતોને ઊંડાણપૂર્વક સમજી શકશો.

સિંહ (મ,ટ) :  વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય,નોકરિયાતવર્ગ માટે પણ પ્રગતિકારક સમય.

કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,આધ્યાતિમ્ક ચિંતન થાય,શુભ દિન.

તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો,સારો પ્રતિભાવ પ્રાપ્ત કરી શકો, દિવસ આનંદદાયક રહે.

વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ટીમવર્કથી સારું પરિણામ મેળવી શકો.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરવા પડે ,મધ્યમ દિવસ.

મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય,વિશેષ પ્રતિભા કેળવી શકો.

કુંભ (ગ ,સ,શ ) :    કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, નવી ઓળખાણોની મદદ થી કાર્ય સિદ્ધ થાય, પ્રગતિકારક દિવસ રહે.

મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, તમારું કૌશલ્ય દેખાડી શકો અને આગળ વધી શકો.

અગાઉ લખ્યા મુજબ મંગળ મહારાજના ઉદય સાથે ફરી વિશ્વમાં અલગ અલગ જગ્યાએ સ્ટ્રાઇક થવા પામી છે અને આર્મી હરકતમાં આવી છે! પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે!સૂર્ય મહારાજ મકરમાં આવી ગયા છે જે વિશ્વ સ્તરે નવા વિચાર અને નવા સમીકરણ બનાવી રહ્યા છે વળી આગામી દિવસોમાં મંગળ પણ મકરમાં સૂર્ય સાથે જોડાશે જે ઘણા દેશની વિદેશનીતિ અને રણનીતિમાં મોટા ફેરફાર દર્શાવે છે તો અમુક દેશ તેના વિઝા નિયમોમાં પણ ફેરફાર કરતા જોવા મળશે. તો રાહુ ના મીન માં આવવા સાથે જળમાં બનાવો વધશે એ મુજબ ચાંચીયાગીરીથી લઈને નેવી મુવમેન્ટ અને પાણીમાં દુર્ઘટનાઓ વધવા પામી છે જેમાં બરોડાની અતિ દુઃખદ ઘટના સામે આવી છે! ૨૨  જાન્યુઆરી ૨૦૨૪ સોમવાર  અયોધ્યામાં પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ દિવસ અનેક શુભ સંકેત લઈને આવી રહ્યો છે સોમવારની સાથે સાથે  સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને નક્ષત્ર મૃગશીર્ષ છે જે અનેક શુભ બાબતો ઈંગિત કરે છે. આ યોગમાં પ્રભુ શ્રી રામ મંદિરમાં વિરાજમાન થશે જે ક્ષણ સમગ્ર વિશ્વ માટે ગૌરવશાળી હશે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ યોગ ખુબ જ મહત્વ ધરાવે છે અને આ સમગ્ર દિવસ દરમિયાન રામરક્ષાસ્તોત્રના પાઠ કરવાથી ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. રાશિ મુજબ જોઈએ તો પ્રભુ શ્રી રામ આ યોગમાં અયોધ્યા મધ્યે બિરાજમાન થાય છે જે ફરી એ યુગની યાદ અપાવે છે અને પ્રભુ શ્રી રામના રાજ્યમાં સુખ શાંતિ સલામતીનો અહેસાસ કરાવે છે.

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી — ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.