Abtak Media Google News

તા. ૧૦.૧૧.૨૦૨૩ શુક્રવાર  ,સંવંત ૨૦૭૯ આસો  વદ  બારસ, ધનતેરસ, ધન્વંતરિ જ્યંતી, હસ્ત  નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ, ગર   કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા (પ,ઠ,ણ)  હેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો, વધુ પડતી દોડધામ ટાળવા સલાહ છે.

વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો, ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.

મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય,આજ દિવસે યોગ્ય નિર્ણય કરી શકો.

કર્ક (ડ,હ)  : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય,મિત્રોની મદદ મળી રહે.

સિંહ (મ,ટ) :  તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,સામી વ્યક્તિ પાસે થી કામ લઇ શકો ,શુભ દિન.

કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો, તમારા કાર્યની સરાહના થાય.

તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય, યોગ્ય જગ્યા એ નાણાં રોકી શકો .

વૃશ્ચિક (ન ,ય) : વેપારીવર્ગને મધ્યમ રહે, સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે, વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.

મકર (ખ,જ) : ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હોય તેવું વાતાવરણ બને, ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.

કુંભ (ગ ,સ,શ) : ભ્રમની સ્થિતિઓમાં થી હવે બહાર આવવાની જરૂર છે, તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.

મીન (દ,ચ,ઝ,થ): આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

–કન્યા રાશિના જાતકો રાજસિક ગુણ ધરાવે છે અને ઋજુ સ્વભાવના હોય છે

આજરોજ ભગવાન ધન્વંતરિ જયંતિ અને ધનતેરસ છે  તંદુરસ્તી અને દીર્ઘાયુષ માટે ધન્વંતરિ પૂજન કરવામાં આવે છે જયારે આર્થિક ઉન્નતિ અને સુખ શાંતિ માટે ગણેશજી અને માતા લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે.  ગ્રહોની વાત કરીએ તો અલગ અલગ લગ્ન અને રાશિ મુજબ આપણે મહત્વની બાબતો વિચારી શકીએ જેમ કે મેષ રાશિના જાતકો કર્મશીલ હોય છે કામ કરવામાં ઉતાવળા હોય છે તેમને ચોક્કસ કામ સોંપી દેવામાં આવે તો તે કામ ને પહોંચી વળે છે જયારે વૃષભ લગ્ન કે રાશિના મિત્રો આરામપ્રિય હોય છે. કલા શૃંગાર વિલાસમાં વિશેષ રુચિ ધરાવે છે તેમના માં પ્રતિભા રહેલી હોય છે સમયસર જો આ પ્રતિભા બહાર આવે તો તેઓ તેમાં સફળતા મેળવી શકતા હોય છે એ જ રીતે મિથુન રાશિ કે લગ્ન ધરાવતા મિત્રો આર્થિક ઉપાર્જન તરફ વધુ ઢળેલા જોવા મળે છે અને વ્યાપારમાં તેમને લાભ પણ થતો હોય છે તો કર્ક રાશિ કે લગ્ન ધરાવતા મિત્રો વધુ લાગણીશીલ હોય છે અને સંબંધોમાં દુઃખી થતા અને ઉદાસ થતા જોવા મળે છે વધુ સેન્સેટિવ હોય છે તો સિંહ રાશિ કે લગ્નના જાતકોની દોટ કોઈ ને કોઈ રીતે આગળ વધવાની અને લીડરશીપ લેવાની હોય છે અને તે કચડાયેલા વર્ગ માટે અવાજ ઉઠાવતા જોવા મળે છે અને સત્તાવાહી રીતે કામ લઇ શકે છે તો કન્યા રાશિના જાતકો રાજસિક ગુણ ધરાવે છે અને ઋજુ સ્વભાવના હોય છે પરંતુ તેમની ગણતરી પાક્કી હોય છે તુલાના મિત્રો જાહેરજીવન વધુ ખેડે છે અને સમાજમાં કઈ રીતે આગળ આવવું તે તેમને આવડતું હોય છે !! અન્ય રાશિ વિષે હવે પછી ચર્ચા કરીશ!!

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.