Abtak Media Google News

તા. ૩.૩.૨૦૨૪ રવિવાર ,સંવંત ૨૦૮૦, મહા વદ સાતમ, અનુરાધા  નક્ષત્ર,હર્ષણ   યોગ, બાલવ   કરણ આજે  જન્મેલાંની ચંદ્રરાશિ   વૃશ્ચિક (ન,ય) રહેશે.

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે, વિવાહિતને દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

મિથુન (ક,છ,ઘ) :  ભાગીદારીમાં સારું રહે, જાહેરજીવનમાં આગળ વધી શકો અને તમારું પ્રભુત્વ દર્શાવી શકો ,દિવસ શુભ રહે.

કર્ક (ડ,હ)  : વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સારું રહે, વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સારું, સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.

સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય, અન્ય મિત્રોને મદદરૂપ બની શકો , દિવસ સંતોષજનક રહે.

કન્યા (પ ,ઠ,ણ) : ગણતરી પૂર્વક આગળ વધશો તો લાભ થશે, સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

તુલા (ર,ત) :  આર્થિક બાબતો માં મધ્યમ  રહે,આવક જાવક સમજીને કરવા, મનમાં સંતોષ અને રાજીપો રહે, શુભ દિન.

વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવી પ્રતિભા કેળવી શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): કોઈ બાબતમાં વધુ દલીલ થી દૂર રહેવું, વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત મિત્રો  સાથે મતભેદ નિવારવા પડે.

મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય, મુસાફરીના યોગ બની રહ્યા છે, દોડધામ રહે.

કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગને લાભ થાય, સ્ત્રીવર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે પરંતુ તેને કાર્યમાં રૂપાંતરિત કરવા મહેનત કરવી જરૂરી બને છે.

— શિવ અને શક્તિ સાધના માટે મહા માસ ખુબ મહત્વનો છે!

દશ મહાવિદ્યા સાધના વિષે આપણે પવિત્ર મહા માસમાં વાત કરી રહ્યા છીએ કેમ કે બહુ જલ્દી મહાશિવરાત્રીનું પવિત્ર પર્વ આવી રહ્યું છે! શિવ અને શક્તિ સાધના માટે મહા માસ ખુબ મહત્વનો છે! વર્ષ ૨૦૨૪ માં મહાશિવરાત્રી નું પવિત્ર પર્વ  ૮ માર્ચ ૨૦૨૪ ના રોજ આવી રહ્યું છે. ૨૦૨૪ શનિનું વર્ષ હોઈ આ વર્ષે શિવરાત્રી પર ક્રૂર ગ્રહોની અસર દૂર કરવા વિશેષ પૂજા કરવી જોઈએ. માઘ મહિનાની કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ ૦૮ માર્ચ, ૨૦૨૪ ના રોજ રાત્રે ૦૯:૫૭ વાગ્યે શરૂ થશે અને ૦૯ માર્ચ, ૨૦૨૪ ના રોજ સાંજે ૦૬:૧૭  વાગ્યે સમાપ્ત થશે.નિશિથકાળ રાત્રે ૧૨.૨૬ થી ૧.૧૪ સુધી રહેશે.મહાશિવરાત્રી પર્વ પર પૃથ્વી પરના  તમામ શિવલીંગોમાં રૂદ્રનો અંશ હોય છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. અને તમામ શક્તિના  અધિષ્ઠાત્રા મહાદેવ છે. આથી મહાશિવરાત્રીએ શિવપુજન આયુષ્‍યની સાથે કલ્યાણ અને ઐહિક સુખ પણ આપે છે. મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન રાત્રે થયા હતા. આ દિવસે  ભગવાન શિવ પ્રથમ વખત પ્રગટ થયા હતા. આ દિવસે ૬૪ અલગ-અલગ સ્થળોએ શિવલિંગ પ્રગટ થયા હતા.આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.

—–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી — ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.