Abtak Media Google News

તા. ૩.૨.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦,  પોષ વદ આઠમ, વિશાખા  નક્ષત્ર, તૈતિલ   કરણ આજે    જન્મેલાંની ચંદ્રરાશિ  તુલા (ર,ત) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો,દિવસ લાગણી સભર રહે .

વૃષભ (બ,વ,ઉ) : તમારી જાત સાથે સંવાદ કરી શકો, મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.

મિથુન (ક,છ,ઘ) : કોઈ કોઈ કાર્યમાં રુકાવટ આવતી જણાય, અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.

કર્ક (ડ,હ)  : નોકરિયાતવર્ગને સ્થિરતા પ્રાપ્ત થાય, ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.

સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે, લોકોની પ્રશંશા મળે, શુભ દિન.

કન્યા (પ,ઠ,ણ) : અગાઉ કરતા માહોલ જુદો લાગે, ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.

તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,ભાગીદારીમાં કામ હોય તો સફળતા મળે.

વૃશ્ચિક (ન,ય) : કેટલીક બાબતોમાં મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો, કેટલીક બાબત છોડી ના શકો.

ધન (ધ,ભ,ફ,ઢ): વિવાlહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે, શુભ કાર્ય માટે સમય સાથ આપતો જણાય.

મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે, જરૂરી ગેઝેટ્સ વસાવી શકો કે વ્યવસ્થા કરી શકો.

કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, વેપારીવર્ગને સારું રહે,નોકરિયાતને મડયં રહે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.

મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો, વાણી વિચારથી લોકો ને પ્રભાવિત કરી શકો.

–સ્વયંની પહેચાન

જ્યોતિષશાસ્ત્રમાં એ જરૂરી છે કે વ્યક્તિ પોતાની જાતને ઓળખે પોતાના આત્માને ઓળખે અને તેને આ જન્મમાં સોંપાયેલું કાર્ય સમજે. જન્મોજન્મની ગતિમાં દરેક જન્મમાં કાર્મિક જ્યોતિષ પ્રમાણે અલગ અલગ ઋણાનુબંધન અને કાર્ય હોય છે જો આપણે આપણી અંદર ઉતારીએ તો આ વાત નો તાળો મળે અને એ મુજબ આપણે ધ્યેયમાં આગળ વધી શકીએ પરંતુ એ માટે ઓરા અને ઉર્જાના નિયમો સમજવા જરૂરી બને છે.હર ક્ષણે તમારો આકાશીય મેપ બની રહ્યો છે જે તમારી ઓરા અને ઉર્જા દ્વારા બને છે, તમે અંદર થી શાંત છો કે ખિન્ન છો?  તમે શું વિચારો છો ? તમે શું કરો છો? આ બધી બાબતો તમારો આકાશીય મેપ બનાવે છે જેને સાદી ભાષામાં આપણે ગ્રહો કહીએ છીએ. આપણી લાગણી તેમાં મહત્વનો ફાળો ભજવે છે, જયારે આપણી લાગણી દુભાય ત્યારે આ મેપ બગડે છે માટે અંદર અને બહારથી શાંત રહેવું જરૂરી છે! લાગણીની વિશેષ મહત્વ આપવું પડશે. આ જગતમાં સારી રીતે જીવવા માટે ગ્રહોના સુમેળ માટે અને સફળતા માટે જો કઈ જરૂરી છે તો એ છે ખુદની લાગણીને સમજવી અને તે મુજબ જીવનને આનંદથી આગળ ધપાવવું!! જે મુજબ આપણી હકારાત્મક ઉર્જા વિકાસ પામે છે એ મુજબ ગ્રહો મજબૂત બની સારું પરિણામ આપતા જોવા મળે છે!

—જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી–  ૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.