Abtak Media Google News

તા. ૨૪.૯.૨૦૨૩ રવિવાર , સંવંત ૨૦૭૯ ભાદરવા સુદ નોમ , પૂર્વાષાઢા  નક્ષત્ર, શોભન  યોગ, તૈતિલ  કરણ આજે સાંજે ૭.૧૬ સુધી   જન્મેલાંની ચંદ્રરાશિ  ધન (ધ,ભ,ફ,ઢ) ત્યારબાદ મકર (ખ,જ) રહેશે.

Advertisement

મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય  ચેતનાનો વિકાસ થાય, લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.

વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,ધાર્યા કામ પાર પાડી શકો .

મિથુન (ક,છ,ઘ) : મનમાં ચીડિયાપણું રહે ,માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.

કર્ક (ડ,હ) : ભાગીદારીમાં કામ કરતા મિત્રો ને સારું રહે, દામ્પત્યજીવનમાં સારું  રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.

સિંહ (મ,ટ) :  તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે, જીવનપદ્ધતિમાં ફેરફાર કરવા પડે.

કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. દિવસ ખુશનુમા વીતે.

તુલા (ર,ત) :  તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો, પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.

વૃશ્ચિક (ન ,ય ) : નવી પ્રતિભા કેળવી શકો, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.

ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,નોકરિયાતવર્ગને સારું રહે, પ્રગતિકારક દિવસ રહે.

મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,વેપારીવર્ગને સારું રહે, સ્ત્રીવર્ગને મધ્યમ રહે,કામકાજમાં સફળતા મળે.

કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી. વધુ વિશ્વાસે ના ચાલવું.

મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય , આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

–કેતુ અને રાહુ જિંદગીની દશા અને દિશા પલટી નાખવામાં માહિર છે

ઓક્ટોબરના અંત માં રાહુ અને કેતુ રાશિ પરિવર્તન કરે છે અને ૪ નવેમ્બરના શનિ મહારાજ માર્ગી બને છે આ ત્રણ દિગ્ગજો એક સપ્તાહમાં પોતાની રણનીતિ બદલી રહ્યા છે કેતુ અને રાહુ છાયા ગ્રહ છે પણ દોઢ વર્ષે રાશિ પરિવર્તન કરતા આ ક્રૂર ગ્રહો જિંદગીની દશા અને દિશા પલટી નાખવામાં માહિર છે વળી શનિ મહારાજ જે વક્રી ચાલે ચાલી અનેક તકલીફો આપી રહ્યા હતા તે હવે માર્ગી બની રહ્યા છે પરંતુ આ ત્રણ ગ્રહોની હિલચાલ વાતાવરણમાં એક નવો પલટો લાવનાર બનશે વળી ગ્લોબલ વૉર્મિંગની વોર્નિંગ પણ આ સમય પછી વિશેષ સંભળાવાની ચાલુ થશે અને અગાઉ અત્રે લખ્યા મુજબ હવે ગ્લોબલ વૉર્મિંગ નહિ પણ ગ્લોબલ બોઇલિંગ તરફ આપણે જઈ રહ્યા છીએ તે સમજવું પડશે જો કે શનિના માર્ગી થવા સાથે ઘણા મિત્રોના કેરિયરના પ્રશ્નોનો ઉકેલ આવતો જોવા મળશે બીજી તરફ શનિ બાંધકામમાં રુકાવટ આપતા હતા તે ક્લીઅર થતી જોવા મળશે અને પગના દુખાવામાં પણ રાહત કરનાર બનશે જે મિત્રો પનોતીની અસરમાં છે તેમને પણ રાહતના સમાચાર મળશે. ગ્રહો સંકેત આપે છે કે નિજ્જર હત્યા કેઈસ વિશ્વને બે પરિપાટી માં વહેંચી નાખશે જેથી આતંક વિરુદ્ધની લડાઈમાં કોણ સાથે છે અને કોણ સામે છે તે વિશેષરૂપ થી સ્પષ્ટ થતું જોવા મળશે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

૭૯૯૦૫૦૦૨૮૨

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.