તા. ૫.૧.૨૦૨૩ ગુરુવાર
સંવંત ૨૦૭૯ પોષ સુદ ચતુર્દશી
મૃગશીર્ષ નક્ષત્ર, શુક્લ યોગ
ગર કરણ
આજે સવારે ૮.૦૭ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) ત્યારબાદ મિથુન (ક,છ,ઘ) .
મેષ રાશિફળ (Aries):
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થશે. સંતુલિત મનથી તમે કરેલા પ્રયત્નોમાં સફળતા પ્રાપ્ત થશે.
વૃષભ રાશિફળ (Taurus):
આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે. અગાઉ રોકેલા નાણાં કે ફસાયેલા નાણાં પરત આવવાના સંકેત આવી શકે.
મિથુન રાશિફળ (Gemini):
કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. સામાજિક રીતે તમારા અભિપ્રાય નું મૂલ્ય વધે.
કર્ક રાશિફળ (Cancer):
આજના દિવસે વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું. સ્વભાવ લાગણીશીલ રહે અને તેના કારણે દુઃખ થાય
સિંહ રાશિફળ (Leo):
આજના દિવસે આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
કન્યા રાશિફળ (Virgo):
વેપારીવર્ગને લાભદાયક દિવસ છે, સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે,વિદ્યાર્થીવર્ગ માટે પણ સારું રહે.
તુલા રાશિફળ (Libra):
આધ્યાત્મિક બાબતોમાં આગળ વધી શકો, ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્ધિ થાય.
વૃશ્ચિક રાશિફળ (Scorpio):
અગાઉ ની સાપેક્ષમાં ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,કાર્યને પૂર્ણ કરી શકો , પ્રગતિકારક દિવસ.
ધન રાશિફળ (Sagittarius):
સામાજિક ક્ષેત્ર અને જાહેરજીવનમાં સારું રહે,લોક્ચાહનામાં વૃદ્ધિ થાય , આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર રાશિફળ (Capricorn):
આજના દિવસે તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે, જીવનપદ્ધતિમાં હકારાત્મક ફેરફાર કરવા જરૂરી બને.
કુંભ રાશિફળ (Aquarius):
પ્રણય માર્ગે આગળ વધી શકો, સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન રાશિફળ (Pisces):
દિવસ આરામથી વિતાવી શકો અને નવી જગ્યાએ જઈ શકો, તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.
આજ રોજ ચંદ્ર મહારાજ સવારે ૮.૦૭ થી મિથુન રાશિમાં પ્રવેશ કરશે. આવતીકાલે શુક્રવારને વ્રતની પૂનમ, પોષી પૂનમ છે જેનું વિશેષ મહત્વ છે. પૂનમ પર સૂર્ય અને ચંદ્ર સામસામા જોવા મળે છે એટલે સૂર્ય અત્યારે ધનમાં છે જયારે ચંદ્ર મિથુન રાશિમાં રહેશે. ગોચર ગ્રહોનો અભ્યાસ કરીએ તો ગુરુ મહારાજ મીન રાશિમાં ચાલી રહ્યા છે અને તે ચંદ્ર અને સૂર્ય બુધ સાથે કેન્દ્ર યોગ સ્થાપિત કરી રહ્યા છે જે હાલના ખપ્પર યોગ જેવી સ્થિતિમાં લડવાની તાકાત પૂરું પાડે છે અને અગાઉ લખ્યા મુજબના વિપરીત સંજોગોમાં પણ આશાનું કિરણ જોવા મળે છે. આવતીકાલે શુક્રવારે વ્રતની પૂનમ છે જે મિત્રોની કુંડળીમાં ચંદ્ર મહારાજનું બળ ઘટતું હોય કે ચંદ્ર નબળો પડતો હોય તો તેઓ પૂનમનું વ્રત કરી શકે વળી પૂનમની રાત્રે ચંદ્ર મંત્ર “ૐ સૌમ સૌમાય નમઃ” મંત્રની ૧૧ માળા કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. ગોચર માં આ માસ માં જ શનિ મહારાજ રાશિ પરિવર્તન કરવાના છે જે વિશેષ ઘટના ગણી શકાય કેમ કે શનિ એક રાશિમાં આશરે અઢી વર્ષ રહે છે માટે તેનું પરિવર્તન જીવનમાં અનેક પરિવર્તન લાવનાર બને છે જે વિષે હું આગળ ઉપર રાશિ મુજબ અસર વિષે લખીશ.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણ – ૭૯૯૦૫૦૦૨૮૨