Abtak Media Google News

મારા આંસુ માટે જવાબદાર કોણ તેનો ખુલાસો ટુંકમાં જ કરીશ તેવું કહેનારા વિહિણ નેતા ‘મગનું નામ મરી’કયારે પાડશે ?

વિહિપ નેતા પ્રવીણ તોગડીયા ઝેડ પ્લસ સીકયુરીટી હોવા છતાં પોતાને ‘અસુરક્ષિત’ મહેસૂસ કરે છે. શું કામ ? કેમ કે તેમને સાઇડ લાઇન કરી દેવાયા છે. તેઓ પોતાને હાંસિયામાં ધકેલાઇ ગયેલા મહેસુસ કરે છે.તેઓ એવું મહેસૂસ કરતા હતા કે  બીજેપી અને આર.એસ.એસ. તેમના ‘કવચ અને કુંડળ’છે. તેમણે સાઘ્વી ઋતંભરા દેવીની તર્જ પર હિન્દુત્વ અંગે તેજાબી ભાષણો કર્યા તેમને હતું કે સરકાર પ્રોટેકટ કરશે. પરંતુ ગુજરાતી કહેવત ‘ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે’ તે તર્જ પર ડો. તોગડીયાની માન્યતાઓ ધરી કી ધરી રહ ગઇ. હવે સરકાર સાથે નથી. એટલે જ તો પોલીસે કહ્યું – તોગડીયાનો લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડ્રામાં મહજ એક પબ્લિસિટી સ્ટંટ છે તેનાથી વિશેષ કંઇ નથી?

જેપી બે ગૂટ વચ્ચે બોલાચાલી થયાને એક સૂરા વ્યકિતને ત્રણ ચાર જણ જાલી રાખે તો તે ડબલ બહાદુરી બતાવે તેમ બીજેપી અને આર.એસ.એસ. ની છત્રછાયા હેઠળ ડો. પ્રવીણ તોગડીયાએ હિન્દુત્વ કાજે કર્યુ.

આ  સિવાય ઝેડ પ્લસ સુરક્ષા હોવા છતાં ડો. પ્રવીણ તોગડીયા પોતાને કોનાથી અને કયા કયા મુદે ‘અસુરક્ષિત’ મહેસૂસ કરે છે ? તેઓ ‘મગનું નામ મરી ’પાડે તો જ થાય.

તેમણે ગઇકાલની પત્રકાર પરિષદમાં કહ્યું કે સમય આવ્યે સબૂત સાથે પડમાં આવીશ. હવે જોવાનું એ રહે છે કે હિન્દુત્વ કા શેર તોગડીયા જેમ કાલે આસું સારતા હતા તેના બદલે અસલી મિજાજમાં આવીને ‘પડદો’ઉંચકે છે કે નહીં?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.