રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે દ્વારકાના ગાયત્રી મંદિર પાસે આવેલ મહાત્માની પ્રતિમાને દ્વારકા નગરપાલીકાના અગ્રણીઓ દ્વારા સુતરની આંટી પહેરાવી પ્રાર્થના કરવામાં આવી હતી આઝાદીના લડવૈયા સુભાષચંદ્ર બોઝે ૬ જુલાઈ ૧૯૪૪ના રોજ રેડીયો રંગુન પરથી મહાત્માને રાષ્ટ્રપિતા કહીને સંબોધન કરેલ સદા અહિંસાના માર્ગે ચાલનારા બાપુના જન્મદિનને ભારતમાં ગાંધી જયંતિ અને વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમમાં દ્વારકા નગરપાલીકા પ્રમુખ જીતુભા માણેક, ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયા, ચીફ ઓફીસર સી.બી.ડુડીયા, શાસકપક્ષના નેતા પ્રધુમનસિંહ જાડેજા, શહેર ભાજપના સદસ્યો, પાલીકાના સદસ્યો, શાળા કોલેજના બાળકો વિ. જોડાયા હતા.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યની સરાહના થાય,નોકરિયાતવર્ગને ઈચ્છીત કામગીરી મળે
- વિજયભાઈ રૂપાણીનો પંજાબમાં પણ “વટ”: કોંગ્રેસના ટોચના નેતાઓએ કર્યા ‘કેસરિયા’
- પોતાની 3 વર્ષની ડોલ માટે પિતાએ બનાવ્યું આખું ડોલ્સ મ્યુઝિયમ
- વિશ્ર્વ મ્યુઝિયમ દિવસ
- શરીરની તંદુરસ્તી માટે સોડિયમ અતિ જરૂરી
- ભારતથી હથિયારો ભરીને ઇઝરાયેલ જતા જહાજને સ્પેને આગળ જતાં અટકાવ્યું…
- એડવાન્સ ટેક્સ ભરતા પ્રામાણીક કરદાતાઓની સંખ્યામાં વધારો…
- મેઘરાજા મોર પર સવાર થઇ પધારશે: ચોમાસું 14 આની રહેવાનો વરતારો