Abtak Media Google News

રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે દ્વારકાના ગાયત્રી મંદિર પાસે આવેલ મહાત્માની પ્રતિમાને દ્વારકા નગરપાલીકાના અગ્રણીઓ દ્વારા સુતરની આંટી પહેરાવી પ્રાર્થના કરવામાં આવી હતી આઝાદીના લડવૈયા સુભાષચંદ્ર બોઝે ૬ જુલાઈ ૧૯૪૪ના રોજ રેડીયો રંગુન પરથી મહાત્માને રાષ્ટ્રપિતા કહીને સંબોધન કરેલ સદા અહિંસાના માર્ગે ચાલનારા બાપુના જન્મદિનને ભારતમાં ગાંધી જયંતિ અને વિશ્ર્વમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિન તરીકે ઉજવવામાં આવે છે. આ કાર્યક્રમમાં દ્વારકા નગરપાલીકા પ્રમુખ જીતુભા માણેક, ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયા, ચીફ ઓફીસર સી.બી.ડુડીયા, શાસકપક્ષના નેતા પ્રધુમનસિંહ જાડેજા, શહેર ભાજપના સદસ્યો, પાલીકાના સદસ્યો, શાળા કોલેજના બાળકો વિ. જોડાયા હતા.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.