Abtak Media Google News

આજકાલ રોડ અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જાય છે. ત્યારે સુરેન્દ્રનગર પાસે આજે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક પીકઅપ વાનના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વાન અનિયંત્રિત થઈને ખાડામાં પડી હતી.

પીકઅપ વાનમાં સવાર ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જયારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત ૩ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ લીંબડીના રાણપુર રોડ પર પુસ્તકો ભરીને આ પીકઅપ વાન જઈ રહી હતી જેમાં ૬ લોકો સવાર હતા. પીકવાન પલટી મારી જતા ૩ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ લોકોને 108ની મદદથી સારવાર માટે ચુડા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે ચુડા પોલીસે (Chuda police) વધારે તપાસ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.