Abtak Media Google News

રાજયના એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરજ બજાવતા રાજકોટના બે   સહિત 11 પીઆઇની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેર એસીબીમાં ફરજ બજાવતા  પીઆઇ એચ.એમ. રાણાને મોરબીમાં મુકાયા છે. જયારે મોરબીનાં પીઆઇ જે.એમ. આલને તેમના સ્થાને  રાજકોટ ખાતે મુકવામાં આવ્યા છે.

એચ.એમ.રાણાને મોરબી તેમના સ્થાને જે.એમ. આલ અને  આર.આર. સોલંકીને તાપી ખાતે ટ્રાન્સફર

રાજકોટ ગ્રામ્ય એસીબીના આર.આર. સોલંકીને તાપી ખાતે મુકવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદનાં એન.એમ. જાદવ, વડોદરાનાં એન.એમ. જાદવ, વડોદરાનાં એમ.કે. સ્વામીની વહીવટી એકમમાંથી હાલના ફરજના સ્થળથી બદલી કરાઇ છે.

ગાંધીનગરનાં જે.એન. વઢવીને સાબરકાંઠા, સાબરકાંઠાનાં બી.કે. ગમારને અમદાવાદ એસીબીમાં રીડર પીઆઇ તરીકે મુકવામાં આવ્યા છે.સુરતનાં એ.કે. ચૌહાણને અમદાવાદ ગ્રામ્યમાં  પીઆઇ તરીકે એસીબી રાજયનાં વડા ડો. સમશેરસીંહ દ્વારા  બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.