Abtak Media Google News

ટ્રમ્પે કાશ્મીર મુદ્દાને હિન્દુ-મુસ્લિમ વચ્ચેનો મુદ્દો ગણાવતા વિવાદ વધવાની સંભાવના

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર જમ્મુ-કાશ્મીર પર મધ્યસ્થીની ઓફર કરી છે. ટ્રમ્પે કાશ્મીરમાં હિન્દુ-મુસ્લિમનો રટણ કરતાં કહ્યું હતું કે તેઓ આ અઠવાડિયાના અંતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મુદ્દે ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, આ બંને નેતાઓ આ સપ્તાહના અંતમાં ફ્રાન્સમાં યોજાનારા જી ૭ કોન્ફરન્સમાં મળવા જઈ રહ્યા છે. ટ્રમ્પે થોડા દિવસો પહેલા પણ કાશ્મીર પર મધ્યસ્થીની વાત કરી હતી, પરંતુ ભારતે તેને સંપૂર્ણ નકારી કાઢી હતી. ભારતે તેને દ્વિપક્ષીય બાબત ગણાવી હતી.

ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, કાશ્મીર એક ખૂબ જટિલ સમસ્યા છે. અહીં હિન્દુઓ તેમ જ મુસ્લિમો પણ છે અને હું એમ કહીશ નહીં કે તેમની વચ્ચે ઘણું સંવાદિતા છે. તેમણે કહ્યું, મધ્યસ્થી માટે જે કંઈ સારું થશે, હું તે કરીશ. નોંધનીય છે કે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની અમેરિકા મુલાકાત તે સમયે, ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીએ તેમને જમ્મુ-કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવા કહ્યું હતું.

જો કે, વ્હાઇટ હાઉસ દ્વારા જ આ દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો. હવે કલમ ૩૭૦ અને તેના પછીના ભારતના નિર્ણયથી સરકારનું વલણ સ્પષ્ટ છે કે ભારત આ મુદ્દે કોઈ પણ ત્રીજા પક્ષની દખલ સામે સખ્ત છે. આ પછી ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કાશ્મીર મુદ્દે લવાદની ઓફર કરી છે.

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા અને રાજ્યના પુનર્ગઠનને લીધે પાકિસ્તાન સાથેના તણાવ વધ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૯ ઓગસ્ટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે લગભગ ૩૦ મિનિટ લાંબી ટેલિફોનિક વાતચીત થઈ.

આ દરમિયાન પીએમ મોદીએ ટ્રમ્પને તેનું નામ લીધા વિના પાકિસ્તાન સાથેના તેમના સંબંધો વિશે જણાવ્યું હતું કે, ભારત વિરુદ્ધ હિંસા પ્રત્યે કેટલાક નેતાઓનું વલણ શાંતિ પ્રક્રિયામાં અડચણ છે. તેનો સંદર્ભ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનો હતો, જેમણે તાજેતરમાં ભારત વિરોધી અનેક નિવેદનો આપ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.