Abtak Media Google News
  • 90 દિવસ સુધીમાં ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 1734 કરોડની કિંમતની 2.45 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરાશે
  • સરકાર દ્વારા રૂ. 1765 કરોડની કિંમતના 3.24 લાખ મેટ્રિક ટન ચણા અને રૂ. 853 કરોડની કિંમતના 1.51 લાખ મેટ્રિક ટન જેટલા રાયડાની પણ ખરીદી કરાશે

ગુજરાત રાજ્યમાં આગામી સોમવાર થી  90 દિવસ સુધી તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે ત્યારે કૃષિ મંત્રી  રાઘવજી પટેલે વિગત આપતા જણાવ્યું હતું કે  કે,વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે એ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાનાભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તા. 18મી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરુ થશે, જે આગામી 90 દિવસ એટલે કે, 15મી જૂન સુધી ચાલુ રહેશે.જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને થશે.

મંત્રી  પટેલે ઉમેર્યું કે, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ટેકાના ભાવે ખરીદી માટે સંપૂર્ણ આયોજન કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 1734 કરોડની કિંમતની 2,45,710 મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રૂ. 1765 કરોડની કિંમતના 3,24,530 મે. ટન ચણા અને રૂ. 853 કરોડની કિંમતના 1,50,905 મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજ્ય માં  કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને તુવેર પાકની ખરીદી માટે 140 ખરીદ કેન્દ્રો, ચણાની ખરીદી માટે 187 ખરીદ કેન્દ્રો અને રાયડાની ખરીદી માટે 110 ખરીદ કેન્દ્રો મળી રાજ્યભરમાં કુલ 437 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં તુવેર, ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે અને તે માટે સરકાર દ્વારા તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુ વિગતો આપતા જણાવ્યું કે, ટેકાના ભાવથી ખરીદી માટે રાજ્યના હજારો ખેડૂતોએ નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવી છે. આ ખેડૂતો પાસેથી ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા ટેકાના ભાવે ખરીદી કરાશે. ભારત સરકાર દ્વારા તુવેર માટે રૂ. 7000 પ્રતિ ક્વિ. (રૂ. 1400 પ્રતિ મણ), ચણા માટે રૂ. 5440 પ્રતિ ક્વિ. (રૂ. 1088 પ્રતિ મણ) અને રાયડા માટે રૂ. 5650 પ્રતિ ક્વિ. (રૂ. 1130 પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

સરકાર દ્વારા ખેડૂતો ને પોતાની ખેત પેદાશો માં પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ  છે.. ત્યારે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ . ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાનાભાવે ખરીદી પ્રક્રિયા પણ  દર વર્ષે સમયસર કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર, ચણા અને રાયડાની આગામી તા. 18મી માર્ચ ને  સોમવારથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે , જે આગામી 90 દિવસ એટલે કે, 15મી જૂન સુધી ચાલુ રહેશે.જેનો લાભ અંદાજે 3.20 લાખ ખેડૂતોને લાભ થશે . ગુજરાતના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. 1734 કરોડની કિંમતની 2,45,710 મે. ટન તુવેરની ખરીદી કરવામાં આવશે. આ ઉપરાંત રૂ. 1765 કરોડની કિંમતના 3,24,530 મે. ટન ચણા અને રૂ. 853 કરોડની કિંમતના 1,50,905 મે. ટન જેટલા રાયડાની ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.