રાજય સરકાર દ્વારા છેલ્લા ૧૦ દિવસ થયા રાજયના વિવિધ ગામોમાં સિંચાઈ અને પીવાનું પાણી એકત્ર થાય તે માટે સુજલામ સુફલામ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારના વિવિધ તળાવો સ્વૈચ્છિક સંસ્થાના સહકારથી ઉંડા ઉતારવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ગઈકાલે મળેલી ઉપલેટા માર્કેટીંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરોની મિટીંગમાં સર્વાનુમતે ખેડુતોના હિતને ધ્યાનમાં રાખી ઉપલેટા વિસ્તારના તળાવો ઉંડા ઉતારવા માટે રૂપિયા અઢી લાખનું ભંડોળ ફાળવવામાં આવેલ હતું ત્યારે ધોરાજીના પ્રાંત અધિકારીને ચેક અર્પણ કરતા ઉપલેટા યાર્ડના પ્રમુખ માધવજીભાઈ પટેલ, વાઈસ ચેરમેન રાજાભાઈ સુવા, સેક્રેટરી રાજભાઈ ઘોડાસરા ઉપસ્થિત રહ્યા હતા. રાજય સરકારના મંત્રી જયેશભાઈ રાદડીયા અને ઈન્ચાર્જ પ્રવિણભાઈ માકડિયા અભિયાનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.
Trending
- GST Collection : GST કલેક્શને તમામ રેકોર્ડ તોડ્યા
- સુરત : 100 જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા
- રાજકોટ : ડબલ કસ્ટોડિયલ ડેથ મામલે કલેક્ટર- કમિશ્નર- રાજ્ય પોલીસ વડાને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની નોટીસ
- હિંમતનગર નિવૃત્ત પોલીસ મેન અને તેની પત્નીની દિન દહાડે હત્યા
- ૧લી મે એટલે વિકાસનો પર્યાય ગુજરાતનો સ્થાપના દિન
- દ્વારકા બીચ તથા ટાપુઓ પ્રાકૃત્તિક સૌંદર્યનો અનોખો ખજાનો
- અનુપમા ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ
- અદાણી ફાઉન્ડેશનની કચ્છના 21 ગામોમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની કામગીરી પુરજોશમાં