Abtak Media Google News

અમરેલી શહેરમાં ડૂબી જવાથી એક જ પરિવારના બે બાળકોના મોત નીપજ્યા છે. જેસિંગપરા રંગપુર રોડ પર આવેલા પાણીના ખાડામાં અર્જુન સોનપરા (ઉ.વ.9) અને સુન્ની સોનપરા (ઉ.વ.8) બંને ન્હાવા પડ્યા હતા. પરંતુ ખાડો ઊંડો હોવાથી બંને પાણીમાં ગરક થયા હતા.

આ અંગેની જાણ ફાયરબ્રિગેડને થતા ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ પાણીના ખાડામાંથી બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોલીસે પીએમ માટે મૃતદેહોને હોસ્પિટલ ખસેડ્યા હતા.

જેસિંગપરા- રંગપુર રોડ પાસેના બનાવમાં પરીવારમાં કાળો કલ્પાંત.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.