Abtak Media Google News

દેશમાં રસીકરણની વધતી જતી ગતિ વચ્ચે વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. એક દિવસમાં બે રસીઓ, કોર્બિવેક્સ અને કોવોવેક્સ રસી, કટોકટીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી છે.

આ સાથે એન્ટી વાઈરલ દવા મોલનુપીરાવીરને પણ મંજૂરી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લખ્યું કે,” ભારતના તમામ લોકોને અભિનંદન. કોરોના સામેની લડાઈમાં વધુ એક મજબૂત પગલું ભરીને ભારત આગળ વધ્યા છીએ, અમે બે રસીઓ CORBEVAX રસી અને COVOVAX રસીની સાથે એન્ટિ-વાયરલ દવા મોલનુપીરાવીરને પણ મંજૂરી આપી છે.” જો કે, તેમણે વધુમાં કહ્યું કે, ઉપરોક્ત દવાઓને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.