Abtak Media Google News

પાકિસ્તાનની નાપાક કરતૂતો અંત નથી આવી રહ્યો ત્યારે બોર્ડર પારથી સતત ઘુસણખોરી અને સિઝફાયરનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જો કે ભારતીય સુરક્ષા દળ પાકિસ્તાનના નાપાક ઇરાદાનો જડબાતોડ જવાબ આપી રહી છે.

Advertisement

બુધવારે પણ પાકિસ્તાન તરફથી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરાયો હતો, જેને BSF દ્વારા નિષ્ફળ કરી દેવામાં આવ્યો. પંજાબના અમૃતસર નજીક અજનાલા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર ઘુષણખોરી કરવાનો પ્રયત્ન કરી રહેલા બે પાકિસ્તાની ઘુસણખોરોને બીએસએફ દ્વારા ઠાર મરાયા છે.

આ પહેલા હાલમાં જ પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય બોર્ડર પર સિઝફાયરનું ઉલ્લંઘન કરાયું હતું. જમ્મૂના અરનિય સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સના ફાયરિંગમાં બીએસએફનો એક જવાન શહીદ થઇ ગયો હતો. જો કે બીએસએફના જવાનોએ પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.