Abtak Media Google News

કેશોદ નજીક કાર પલ્ટી ખાતા બે મહિલાના મોત

માતાના મઢે દર્શન કરીને ઉના જતા પરિવારને નડયો જીવલેણ અકસ્માત: બે ગંભીર

Advertisement

કેશોદવેરાવળ બાયપાસ પર પુર ઝડપે પસાર થતી વેગનઆર કારના ચાલકને જોકુ આવી જતા પુલની રેલીંગ તોડી નીચે ખાબકતા કારમાં પાછળ બેઠેલી બે મહિલાના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. બે ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉનાનો પરિવાર કચ્છમાં માતાના મઢે માતાજીના દર્શન કરીને જી.જે.૧૧એસ. ૩૯૬૨ નંબરની વેગનઆર કારમાં પરત આવી રહ્યા હતા ત્યારે કેશોદવેરાવળ બાયપાસ પર કાર ચાલકને ઝોકુ આવી જતા જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

કાર પુલની રેલીંગ તોડી નીચે ખાબકતા કારમાં બેઠેલી ઉનાની લક્ષ્મીબેન મેઘજીભાઇ સોલંકી (..૬૫), ગીતાબેન જસવંતભાઇ ઠાકોર (..૬૦)ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને ભાવીન મેઘજીભાઇ સોલંકી અને સાગર મનસુખભાઇ દેવાયત ઘવાતા બંનેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અકસ્માતના બનાવની જાણ થતા કેશોદ પોલીસ ઘટના સ્થળે પહોચી કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.