Abtak Media Google News

ભારતીય રેલ્વેએ દેશના બહુમુખી વિકાસમાં મોટો ફાળો આપ્યો છે. આરામદાયક અને નવીન રેલ મુસાફરીના અનુભવના નવા યુગની શરૂઆત કરીને, નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો રેલ પરિવહનમાં ઉભરતી ભારતની શક્તિનો નવો ચહેરો બની ગઈ છે. આ આધુનિક અર્ધ હાઇ સ્પીડ ટ્રેન એ ’આત્મનિર્ભર ભારત’નું ઉત્તમ પ્રતીક અને ઉદાહરણ છે અને ભારતીય રેલ્વે માટે બહેતર ડિઝાઇન, આંતરિક અને ગતિના માપદંડો પર ભારતીય રેલ્વે આગળ વધેલા મુખ્ય પગલાઓમાંનું એક છે, જે મુસાફરોને મુસાફરીનો સુખદ અનુભવ પ્રદાન કરે છે. આ ટ્રેનોની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે અને વધુને વધુ મુસાફરો આ ટ્રેનોમાં મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ ટ્રેનો લગભગ પૂર્ણ ક્ષમતાથી ચાલી રહી છે.

‘વંદે ભારત એકસપ્રેસ’  ટ્રેનની વધતી લોકપ્રિયતા: અન્ય ટ્રેનની સરખામણીમાં પ્લેન જેવી ઝડપી, આરામદાયક અને સ્ટાઈલિશ મુસાફરીનો ‘અનોખો’ અનુભવ કરતા મુસાફરો

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી   સુમિત ઠાકુરના જણાવ્યાનુસાર હાલમાં પશ્ચિમ રેલવે પર ચાર વંદે ભારત ટ્રેનો એટલે કે મુંબઈ-ગાંધીનગર કેપિટલ, અમદાવાદ-જામનગર, અમદાવાદ (સાબરમતી)-જોધપુર અને ઈન્દોર-ભોપાલ- નાગપુરચાલી રહી છે. વંદે ભારત ટ્રેનોએ રેલ મુસાફરીને એક નવું પરિમાણ પ્રદાન કર્યું છે અને મુસાફરોમાં ઝડપથી લોકપ્રિય બની છે. મુસાફરોએ અન્ય ટ્રેનોની સરખામણીમાં વંદે ભારત ટ્રેનના આરામદાયક યાત્રા, આલીશાન આંતરિક સજ્જા, વિવિધ પ્રકારના આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન અને ટૂંકા પ્રવાસ સમયની પ્રશંસા કરી છે. તેમણે વંદે ભારત ટ્રેનની મુસાફરીને હવાઈ મુસાફરીની સમકક્ષ ગણાવી, જેમાં ચેક-ઈનમાં ઓછી તકલીફો અને વધુ સસ્તું ભાવો સુનિશ્ચિત સમાવેશ છે.

ઠાકુરે જણાવ્યું કે પશ્ચિમ રેલ્વે પર ચાલતી વંદે ભારત ટ્રેનો આપણા વૈવિધ્ય અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ રાષ્ટ્રના સારને જોડે છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો આર્થિક એકીકરણના પ્રમાણપત્ર તરીકે ઊભી છે, જે મુંબઈ, સુરત, અમદાવાદ જેવા મુખ્ય બિઝનેસ હબ તેમજ વાપી, વલસાડ, જામનગર, સાણંદ, નાગપુરના ઔદ્યોગિક શહેરોને ઝડપી અને કુશળ કનેક્ટિવિટી પૂરી પાડે છે. તે વ્યાપાર વૃદ્ધિ માટે ઉત્પ્રેરક છે, જે સમગ્ર દેશમાં વેપાર અને વાણિજ્યના પ્રવાહને પ્રોત્સાહિત કરે છે. મુસાફરો રૂટમાં સુંદર કુદરતી દ્રશ્યોનો આનંદ લઈ શકે છે. આ ટ્રેનો અવિશ્વસનીય સાહસો અને ગહન આધ્યાત્મિક યાત્રાઓ માટે પણ પ્રવેશદ્વાર છે. તે જોધપુર, આબુ રોડ જેવા પ્રતિષ્ઠિત પ્રવાસન સ્થળો અને ઉજ્જૈન, ઈન્દોર, સાબરમતી અને પાલનપુર જેવા ધાર્મિક સ્થળોને જોડે છે.

આ અંગે વધુ માહિતી આપતા  ઠાકુરે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવેની મુંબઈ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશની ત્રીજી વંદે ભારત એક્સપ્રેસ હતી, જે 30 સપ્ટેમ્બર, 2022ના રોજ શરૂ કરવામાં આવી હતી. તે રાજ્યની રાજધાની મુંબઈ અને ગુજરાતને જોડે છે અને જે માર્ગમાં સાત જિલ્લાઓને આવરી લે છે બોરીવલી, વાપી, સુરત, વડોદરા અને અમદાવાદ સ્ટેશનો પર રોકાય છે, 130% થી વધુની સરેરાશ ઓક્યુપેન્સી સાથે આ ટ્રેન મુસાફરોમાં ઝડપથી લોકપ્રિય બની ગઈ છે. આ ટ્રેનની માંગ તમામ વય જૂથોમાં ખૂબ જ વધારે છે, ખાસ કરીને 31 થી 45 વર્ષની વયજૂથના મુસાફરોની સંખ્યા 33% થી વધુ છે, ત્યારબાદ 46 થી 60 વર્ષની વય જૂથના મુસાફરો છે જેની સંખ્યા 25% થી વધુ છે જ્યારે 15 થી 30 વર્ષની વય જૂથના મુસાફરોની સંખ્યા લગભગ 24% છે.

વરિષ્ઠ નાગરિકો લગભગ 14% છે. ઉપરાંત, આ ટ્રેન દ્વારા મુસાફરી કરવામાં સરળતાને કારણે, મહિલા મુસાફરો વંદે ભારત ટ્રેનને મહત્તમ પસંદગી આપી રહી છે. તેવી જ રીતે પશ્ચિમ રેલવેની અમદાવાદ-જામનગર, અમદાવાદ (સાબરમતી)-જોધપુર અને ઈન્દોર-નાગપુર વંદે ભારત ટ્રેનોને પણ 25 થી 45 વર્ષની વયજૂથના યુવાનો, વેપારી પ્રવાસીઓ અને પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ વંદે ભારત ટ્રેનો ટ્રેનની મુસાફરીના આનંદની સાથે એરોપ્લેન જેવી ઝડપી, આરામદાયક અને સ્ટાઇલિશ મુસાફરીનો અનોખો અનુભવ આપે છે,

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો સૌથી વધુ પસંદગીની ટ્રેન બની ગઈ છે અને મુસાફરો માટે મુસાફરીનો સૌથી પસંદીદા માધ્યમ પણ બની ગઈ છે. તેની ખૂબ જ લોકપ્રિયતા સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે, જ્યાં લોકો વંદે ભારત ટ્રેનો સાથે તેમની સેલ્ફી અપલોડ કરી રહ્યાં છે અને તેમના પ્રવાસના અનુભવનો વીડિયો બનાવી રહ્યાં છે. ભારતીય રેલ્વે દરેકને આ આધુનિક અને લક્ઝુરિયસ ટ્રેનમાં મુસાફરી કરવા માટે આમંત્રિત કરે છે જેના માટે આપણે ગર્વથી ’મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ઇન્ડિયા’ કહી શકીએ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.