Abtak Media Google News

કેશોદ નગરપાલિકાને સ્વચ્છ ભારત મીશન અંતર્ગત સરકાર દ્વારા શહેરને સુંદર અને સ્વચ્છ રાખવા માટે ત્રણ ટ્રેકટર અને છ મેઝીક વાન ફાળવણી કરવામાં આવેલ છે જે વાહન કેશોદ નગરપાલિકા પ્રમુખ યોગેશભાઇ સાવલીયા અને ધારાસભ્ય દેવાભાઇ માલમ સહીતના શહેરના મહાનુભાવોની હાજરીમાં આ વાહનનું શ્રીફળ વધારી અને ત્યારબાદ વાહનોને લોકહિત માટે લીલીઝંડી આપી શહેર ની સ્વચ્છતા માટે રવાના કરાયા
હતા.

આ પ્રસંગે નગરપતિ યોગેશભાઇ સાવલીયાએ જણાવ્યું હતું કે સરકારે કેશોદ નગરપાલિકાને વાહનોની ભેટ આપતા હવે આ વાહનોના માઘ્યમતી અત્યારથી જ શહેરને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને શહેરના દરેક વિસ્તારમાં આ વાહન ચાલકો દ્વારા કચરો એકઠો કરી શહેરને સ્વચ્છ અને સુંદર રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.