Abtak Media Google News

ગીર સોમનાથ જીલ્લા ના વેરાવળ મા સ્વાઇન ફલુ ના  કારણે બે વ્યક્તિઓ ના રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજયા છે અને હાલમા વેરાવળ ના મધ્યમાં આવેલ ગોકુલધામ સોસાયટી મા એક વ્યકિતને સ્વાઇન ફલુ થતા  હાલમા રાજકોટ ખાતે સારવાર હેઠળ છે ત્યારે ગોકુલધામ સોસાયટી મા કોઇ પણ વ્યકિત સ્વાઇન ફલુ ના ભરડામાં આવી ન જાય તે માટે નગરપાલિકા દ્રારા પણ સાફ સફાઇ અને ડીડીટી છંટકાવ કરેલ હતો અને આજરોજ અબઁન હેલ્થ સેન્ટર દ્રારા ફ્રી નિદાન કેમ્પ તથા ઉકાળો નુ આયોજન કરવામા આવેલ હતુ જેમા  ચાર ડોકટરની ટીમ દ્રારા લોકોની તપાસ કરી જરુરી દવાઓ તથા સ્વાઇન ફલુ બાબતે માગઁદશઁન આપવામા આવેલ હતુ.

Advertisement

વેરાવળ ની ગોકુલધામ સોસાયટી મા એક કેસ પોઝીટીવ નોંધાયો છે જે હાલ રાજકોટ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે જે સંદભેઁ આ સોસાયટી મા અન્ય લોકોમાં સ્વાઇન ફલુ ના લક્ષણો છે કે કેમ તેની તપાસ અથેઁ આજરોજ એક વિનામુલ્યે નિદાન કેમ્પ રાખવામા આવેલ હતો જેમા ૧૦૦ થી વધુ લોકોએ લાભ લીધો અને જરુરી દવાઓ તેમજ ઉકાળો પણ આપવામા આવેલ હતો.

ગીર સોમનાથ જીલ્લા નુ વડુ મથક મા હાલમા પણ લોકો શરદી , ઉધરસ , તાવ જે સ્વાઇન ફલુ ના લક્ષણો કહેવાય તેનાથી તો મોટા ભાગના લોકો પીડાઇ રહ્યા છે અને અત્યાર સુધી બે વ્યક્તિ ના મોત અને એક પોઝીટીવ કેસ નોંધાયા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ પણ હરકત મા આવી છે અને સ્વાઇન ફલુ અંગેની જાગૃતિ  અભિયાન ચલાવી રહેલ છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.