રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ ડિ.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરાએ ગુજરાત સરકારનું વચગાળાના બજેટને આવકારી શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલએ ખરા અર્થમાં ખેડૂતો–ગરીબોને તેમજ વિવિધ વર્ગના લોકોને રાહત આપનારા બજેટમાં સરકારશ્રીએ ખેડૂતો માટે ૫૦૦ કરોડનું રીવોલ્વીંગ ફંડની જોગવાઈ તેમજ વિજળી પૂરતા પ્રમાણમાં મળતી રહે તેવી વ્યવસ્થા જેમાં ૮ કલાકને બદલે ૧૦ કલાક વિજળી આપશે જેનાથી ખેડૂતોને રાહત થશે. ૧૬.૨૭ લાખ ખેડૂતોને ૧૫૫૭ કરોડની ઈનપુટ સહાય તથા પશુ દીઠ રૂ.૩૫ની સહાય ઉપરાંત ૨૩ લાખ ખેડૂતોને માટે થઇ ૨૨૮૫ કરોડનું ખાસ સહાય પેકેજ, ખેડૂતોને ઝીરો ટકે વ્યાજ ધિરાણ, ફાર્મ મિકેનાઈજેશન માટે ૫૦૦ કરોડની સહાય ઉપરાંત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, માં અને માં વાસ્તલ્ય યોજનામાં ૩ લાખ રૂપિયાને બદલે ૫ લાખ રૂપિયાની સહાય, આવક મર્યાદા રૂ.૩ લાખથી વધારીને રૂ.૪ લાખ કરવાનો નિર્ણય કરીને સરકારે તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને સહાય યોજના કરતા આ બજેટ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની સુખ–સમૃદ્ધિ અને સુખાકારી વધારનારૂ અને સર્વસ્પર્શી અને સર્વવ્યાપી હોવાનું રાજકોટ જીલ્લાના હોદેદારોએ જણાવ્યું હતું.
Trending
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી
- ઉનાળામાં પણ મચ્છરો છે મક્કમ: રોગચાળો અડીખમ
- હત્યાની કોશિશના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટર ઇભલો મહારાષ્ટ્રથી ઝડપાયો
- ગાંધીગ્રામ વિસ્તારની સગીરાને ધાક-ધમકી આપી નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું