Abtak Media Google News

રાજયમાં અનેક એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં પ્રેમી-પંખીડા પોતાનું પાપ છુપાવવા માટે બાળકને તરછોડી દેતા હોય છે અને અનેક જગ્યાએ ફેકવામાં આવેલા ભૂર્ણ મળી આવતા હોય છે ત્યારે સુરતમાં પ્રેમી પંખીડા લગ્ન પેહલા જ ગર્ભ રહી જતા ભૃણને નજીકના શૌચાલયમાં ફેંકી દેવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી પ્રેમી પંખીડાને પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં આવેલ પાટીચાલમાં પાટીચાલ ખાતે રહેતા બે પ્રેમી પંખીડાએ લગ્ન પેહલા જ યુવતીને ગર્ભ રહી ગયો હતો. જોકે પ્રેમી પંખીડાએ કોઈ સગા સંબંધી વાત કર્યા વગર સમગ્ર મામલો છુપાવ્યો હતો અને ત્યારબાદ ગર્ભ રહી જતા આખરે બાળકનો જન્મ થતા બાળકનું ભૃણ નજીક આવેલ જાહેર શૌચાલયમાં ફેંકી દીધું હતું.

આ ભૃણ મળતા જ તાત્કાલિક વરાછા પોલીસને જાણ કરી હતી જેને લઈને પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં તપાસ દરમિયાન શૌચાલય નજીક જ રહેતા પ્રેમી પંખીડા ને શોધી કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ બંને ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.