Abtak Media Google News

શહેરના રૈયાધાર પર ઘર પાસેથી નીકળવા જેવી સામાન્ય બાબતે ભીલ યુવાનને બે શખ્સોએ પથ્થરના ઘા મારી હત્યા કર્યાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે. હત્યાના મુખ્ય સુત્રધાર રાજેશ ભોણીયાએ છેલ્લા ૧૮ વર્ષમાં ત્રીજી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રૈયા રોડ પર આવેલા હનુમાન પાસે શિવપરા શેરી નંબર ૫માં રહેતા રવિ પ્રવિણ પરમાર નામના ૩૦ વર્ષના ભીલ યુવાનની રૈયાધાર પર રાજેશ બીજલ ભોણીયા અને વિ‚ ઉર્ફે ઉઢીયો કાકુ ભોણીયા નામના શખ્સોએ પથ્થર મારી હત્યા કર્યાની રાજેશ ઉર્ફે રાજુ પ્રવિણ પરમારે યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

કલર કામની મજુરી કામ કરતા રવિ પરમાર ગઇકાલે સાંજે તેની સાથે કલર કામ કરતા મિત્ર સાથે રૈયાધાર પર ગયો હતો ત્યારે રાજેશ બીજલ અને વિરૂ ભોણીયાએ ઘર પાસે ઘર પાસેથી કેમ નીકળી સામે જોઇ રહ્યો છે.

તેમ કહી ઝઘડો કરી મોટા પથ્થરથી માર મારતા રવિ પરમારનું મોત નીપજ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.

રાજેશ ઉર્ફે રાજુ પ્રવિણ પરમારની ફરિયાદ પરથી રૈયાધારના રાજેશ બીજલ ભોણીયા અને વિ‚ ઉર્ફે ઉઢીયો કાકુ ભોણીયા સામે યુનિર્વસિટી પોલીસે હત્યાનો ગુનો નોંધી પી.આઇ. એમ.ડી.ચંદ્રાવાડીયા સહિતના સ્ટાફે બંનેની અટકાયત કરી હત્યાના ગુનામાં અન્ય કોણ સંડોવાયું છે તે અંગે પૂછપરછ કરતા બંને શખ્સોએ હત્યા કર્યાની કબૂલાત આપી છે.

રાજેશ બીજલ ભોણીયાએ ૧૯૯૯માં જંકશન રૂખડીયા વિસ્તારમાં રમેશ લોરીયાની અને ત્રણેક વર્ષ પહેલાં પત્ની ભાવનાનું ડાકોર ખાતે હત્યા કર્યા બાદ ગઇકાલે સાંજે રવિ પ્રવિણભાઇ પરમાર નામના ભીલ યુવાનની હત્યા કર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.