Abtak Media Google News

નાના બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે પરંતુ ઘણી એવી ઘટના સામે આવતી હોય છે જેમાં નવજાત બાળકોને ત્યજી દેવામાં આવતા હોય છે ત્યારે અરવલ્લીમાં પણ આવી ઘટના સામે આવી છે જેમાં સીમના ખેતરમાંથી નવજાત બાળકી મળી આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના અરવલ્લી જીલ્લાની છે જ્યાં નવજાત શિશુને તરછોડવાની ઘટના સામે આવી છે. જીલ્લાના માલપુરના મુખીના મુવાડા ગામની સીમના ખેતરમાંથી નવજાત બાળકી મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પોતાનું પાપ છુપાવવા માતાએ નવજાતને માતા બાળકીને છોડીને ફરાર થઈ ગઈ હતી ત્યારે ઘટની જાણ થતા તેમજ 108ની ટીમે તુરંત પહોંચીને નવજાત બાળકીને સારવાર અર્થે માલપુર CHC હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તબીબ દ્વારા તપાસ બાદ બાળકી સ્વસ્થ હાલતમાં હોવાનું  જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.