Abtak Media Google News
  • આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં આજે ફેંસલો
  • આજીવન કેદની સજા સામે થયેલી અપીલ મામલે આજે હાઇકોર્ટ આપશે ચુકાદો

રાજ્યમાં ચર્ચિત બનેલા અમિત જેઠવા મર્ડર કેસ મામલે આજે હાઇકોર્ટ ચુકાદો આપવા જઈ રહી છે. આજીવન કેદની સજા પામેલા દિનુ બોઘા સોલંકીની અપીલ પર આકે ચૂકાદો આવનાર છે. હત્યાના આરોપમાં અહઉ સેશન્સ કોર્ટે દિનુ બોઘા સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે, હાલમાં દિનુ બોઘા સોલંકી જામીન પર મુક્ત છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોધા સોલંકીને આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવા મર્ડર કેસ મામલે હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી હતી હાઈકોર્ટે દીનુ બોધા સોલંકીને થયેલી સજા મોકુફ રાખી હતી અને જામીન પર છોડવા કોર્ટએ હૂકમ કર્યો હતો.

Advertisement

અત્યંત ચર્ચિત અમિત જેઠવા હત્યા કેસમાં આજે હાઈકોર્ટ ચૂકાદો આપવા જઈ રહી છે. આજીવન કેદની સજા પામેલા ભાજપના નેતા દિનુ બોઘા સોલંકીની અપીલ પર આ ચૂકાદો આવશે. હત્યાના આરોપમાં સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી અને થોડાક સમય બાદ દિનુ બોઘા સોલંકી જામીન પર મુક્ત થયા હતા.

આ કેસમાં અગાઉ કોડીનારના પૂર્વ ધારાસભ્ય અને સંસદસભ્ય દિનુ બોઘા સોલંકીએ સીબીઆઈ કોર્ટ મારફત સજા ફટકારવામાં આવી હતી. અગાઉ આ બાબતે હાઈકોર્ટમાં કરેલી અપીલમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે બન્ને પક્ષ તરફથી દલીલો સાંભળી હતી. રાજકીય કારણોસર દિનુ બોઘા સોલંકીની આ કેસમાં સંડોવણી કરાઈ હોવાની રજૂઆત હાઈકોર્ટે પ્રાથમિક રીતે સ્વીકારી હતી. હાઇકોર્ટે દિનુ બોઘા સોલંકીને પરવાનગી વિના દેશ નહીં છોડવા આદેશ કર્યો છે. આ સાથે એક લાખ રૂપિયાના જામીન પર તેમને છોડવાનો હુકમ કર્યો હતો.

શું હતો આખો ઘટનાક્રમ?

  • 20 જુલાઈ 2010 ગુજરાત હાઈકોર્ટે પાસે સત્યમેવ કોમ્પલેક્સ નજીક સાંજે 30 વાગ્યે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને ખાંભાના વતની અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી.
  • અમિત જેઠવા તે દિવસે હાઇકોર્ટમાં એફિડેવિટ કરવા આવ્યા હતા કે, દીનું બોઘાથી તેમના જીવને જોખમ છે.
  • આ કેસમાં મૃતક અમિત જેઠવાના પિતા ભીખાભાઈ જેઠવા દ્વારા ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનો બોઘા સોલંકી સહિત 7 લોકો સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં
  • આવી હતી.
  • કેસમાં સોલા પોલીસ બાદ એસઆઈટીની રચના થઈ હતી જેમાં સુરેન્દ્રનગરના તત્કાલીન એસપીને જવાબદારી સોંપવામાં આવી હતી.
  • ભીખાભાઇ જેઠવાએ કેસની તાપસ સીબીઆઈને સોંપવાની માગણી કરતી અરજી હાઇકોર્ટમાં કરી હતી જે કોર્ટે માન્ય રાખી 2012થી કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં
  • આવી હતી.
  • સૌ પ્રથમ સીબીઆઈ દ્વારા સંજય ચૌહાણની ધરપકડ કરવામાં આવી હતી. 6 સપ્ટેમ્બર 2010માં દીનું બોઘાના ભત્રીજા શિવા સોલંકીની ધરપકડ કરવામાં આવી અને સાડા ચાર વર્ષ જેલમાં રહ્યા બાદ શિવા સોલંકીને જામીન મળ્યા હતા.
  • 5 નવેમ્બરે 2013 ભાઈબીજના દિવસે ગીર સોમનાથના પૂર્વ સાંસદ દીનું બોઘા સોલકીની ધરપકડ કરવામાં આવી અને સાડા ત્રણ મહિના જેલમાં રહ્યા બાદ સૌથી પહેલા આ કેસમાં જામીન કોર્ટે આપ્યા હતા.
  • કેસમાં સુરેન્દ્રનગર જિલ્લાનો શાર્પ શૂટર શૈલેષ પડ્યાં જેલમાં છે, કોર્ટ તેને એકવાર 5 દિવસના પેરોલ આપ્યા હતા.
  • કેસમાં મોટા ભાગના સાક્ષી હોસ્ટાઈલ થયા છે.
  • કોર્ટે 18 સાક્ષીઓને 24 કલાક હથિયારધારી પોલીસ મેનની સુરક્ષા આપી હતી. મુખ્ય સાક્ષી રામભાઈ સહિત વનરાજભાઈ પ્રજાપતિ, વિજયભાઈ પાંડે, જયેશ પટેલ, ધર્મેશ પ્રજાપતિ, યોગેશભાઈ પંડ્યા, મહંમદ ઉસ્માન શેખ, ભૂપતસિંહ ઝાલાને પોલીસ પ્રોટક્શન આપવામાં આવ્યું હતું.
  • વર્ષ 2016માં અમિત જેઠવાના પિતા ભીખાભાઇ જેઠવાએ હાઇકોર્ટમાં અરજી કરી, જેમાં તેમણે કેસની રિટ્રાયલ કરવાની માંગ કરી જે હાઇકોર્ટ માન્ય રાખી.
  • વર્ષ 2016માં હાઇકોર્ટના આદેશ સામે કેસના આરોપી અને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સુપ્રીમ કોર્ટ 26 સાક્ષીની પુન ટ્રાયલ કરવા આદેશ કર્યો.

હત્યા કેસમાં કોણ કોણ છે આરોપી?

અમિત જેઠવા હત્યા કેસમાં કુલ 7 આરોપી છે. જેમાં આરોપી તરીકે દિનુ બોઘા સોલંકી, શિવા સોલંકી શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, બહાદુરસિંહ વાઢેર (પોલીસ કોન્સ્ટેબલ), સંજય ચૌહાણ આ આરોપીઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.