Abtak Media Google News

બુધવારે 478 પોસ્ટર, બેનર ઉતારી લેવાયા, દીવાલ પરના લખાણો દૂર કરાયા

રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુના નિર્દેશ મુજબ, જિલ્લાના આઠ વિધાનસભા મત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે ચૂંટણી તંત્રની મંજૂરી વિના લગવાયેલી પ્રચાર સામગ્રી હટાવવાની ઝુંબેશ સતત ચાલુ છે. જે અંતર્ગત ગઇકાલે આખા દિવસમાં સરકારી તેમજ ખાનગી ઇમારતો ઉપરથી કુલ મળીને 478 જેટલા પોસ્ટર, બેનર, દીવાલ પરના લખાણ સહિતની પ્રચાર સામગ્રી હટાવાઈ છે. આ સાથે અત્યાર સુધીમાં 20,157 જેટલી સામગ્રીઓ દૂર કરાઈ છે.

ગઈકાલે 68-રાજકોટ પૂર્વમાંથી 77 જેટલી પ્રચાર સામગ્રી, 70- રાજકોટ દક્ષિણમાંથી 300,  71- રાજકોટ ગ્રામ્યમાંથી 70, 73- ગોંડલમાંથી 11 જેટલી પ્રચાર સામગ્રી દૂર કરાઈ છે. આદર્શ આચારસંહિતા લાગુ થઈ ત્યારથી અત્યારસુધીમાં રાજકોટ જિલ્લાના આઠ વિધાનસભા વિસ્તારોમાં સરકારી તેમજ ખાનગી મિલકતો, જાહેર સ્થળો પરથી કુલ 20,157 જેટલી પ્રચાર સામગ્રી દૂર કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.