શક્તિ પૂજાનો અનેરો અવસર એટલે નવરાત્રી મહાપર્વ. નવરાત્રી એક એવો તહેવાર છે જેમાં નવ નવ દિવસ સુધી જગદંબાના નવ‚પનું પૂજન કરવામાં આવે છે. પ્રાચીન પરંપરા મુજબ નવલા નોરતામાં ઘટ સ્થાપન અને ગરબાનું અને‚ મહત્વ રહ્યું છે. નવરાત્રીને આડે હવે જયારે માત્ર બે જ દિવસ બાકી રહ્યાં છે ત્યારે નોરતામાં અતિ મહત્વ ધરાવતા ગરબાઓને કારીગરો દ્વારા અવનવા ભાતીગળ રંગ‚પ સાથે સુશોભિત કરવાની કામગીરી પણ પૂર્ણતાના આરે છે.માતાનાં ગરબાની સજાવટને આખરી ઓપ અપાઈ રહ્યાં છે. ર્માંના વધામણા માટે કુંભાર પરિવારો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગરબા સુશોભિત કરવાનું કાર્ય ચાલુ છે. નવરાત્રીના પાવન પ્રસંગે છેલ્લા ૩૦ વર્ષથી ગરબા બનાવનાર ચમનભાઈ સંચાણીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે ગરબાની માંગ વધતી જાય છે. લોકો નવીનવી ભાતવાળા ગરબાઓ માંગી રહ્યાં છે. આ વર્ષે ૪૦ ‚પિયાથી લઈ ૮૦ ‚પિયા સુધીના ગરબા વેચાઈ રહ્યાં છે. ગરબામાં રંગબેરંગી ડાયમંડ, સ્ટોન, લેસપટ્ટી, મીનો સહિતની કારીગરીવાળા ગરબાની માંગ વધુ છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય
- બ્લુ અનારકલીમાં હીરામંડીની અદિતિ રાવ હૈદરી કઈક આ રીતે નઝર આવી
- લાલ સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં રવીના ટંડન સુપર હોટ લાગી
- Upcoming Cars in May : ભારતીય બજારમાં મે મહિનામાં આ ત્રણ નવી કાર ધૂમ મચાવવા આવી રહી છે
- સંબંધ બાંધવાની યોગ્ય ઉંમર જાણી લો નહિતર તમને પણ પસ્તાવો થશે…
- T20 World Cup 2024 : T20 વર્લ્ડ કપ માટે ભારતની ટીમ માટે આ 15 ખેલાડીઓ છે દાવેદાર
- વર્ધમાન મહાવીર મેડિકલ કોલેજ ખાતે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
- અમેઠીથી ભાજપના ઉમેદવાર તરીકે સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોંધાવી