Abtak Media Google News

રાજકોટ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી દરેક સમાજને સામાજીક, શૈક્ષણિક અને અન્ય દરેક પ્રકારે મદદ કરવાના ઉમદા હેતુ સાથે કાર્ય કરતી અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ-રાજકોટ નામની સંસ્થા દરેક સમાજના યુવક-યુવતીઓને પોતાના માટે યોગ્ય જીવન સાથી મળી રહે તે માટે દર વર્ષે જીવન સાથી પસંદગી મેળાનું સુંદર આયોજનો કરી રહેલ છે.

આ અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ – રાજકોટ સંસ્થાના બેનર હેઠળ આગામી નજીકના દિવસોમાં એક ભવ્ય જીવન સાથી પસંદગી મેળાનું સુંદર આયોજન કરેલ છે. આ જીવન સાથી મેળામાં દરેક જ્ઞાતિનાં યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે સાથે આ પસંદગી મેળામાં વિધવા-વિધુર, ત્યક્તા, છૂટાછેડા થયેલા પણ ભાગ લઇ શકશે.

આ સર્વ જ્ઞાતિ જીવન સાથી પસંદગી મેળામાં ભાગ લેનારે આ સંસ્થાના પ્રમુખ ગૌતમભાઇ ચક્રવર્તી મો. નં.- ૯૯૧૩૭ ૪૩૬૯૦ તથા શાંતાબેન મકવાણા મો. નં – ૯૭૧૨૦ ૯૫૨૮૨નો સંપર્ક સાંધવો તેમજ પસંદગી મેળામાં ભાગ લેવા માટેના નિયત નમૂનાના ફોર્મ મેળવવા માટે તેમજ ફોર્મ ભરી પરત કરવાનું સરનામું અખિલ ભારતીય બૌધ્ધ ધમ્મ સંઘ- રાજકોટ-૪, હરિદ્વાર શોપીંગ સેન્ટર-૨, ઓફિસ નંબર – ૧૧૬, ગોકુલધામ મેઇન રોડ રાજકોટ છે. તો આ સર્વ જ્ઞાતિ જીવન સાથી પસંદગી મેળામાં ભાગ ઇચ્છતા યુવક-યુવતીઓએ વહેલી તકે સંસ્થાનો સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખશ્રી ગૌતમભાઇ ચક્રવતીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.